મહારાષ્ટ્ર
મુંબઈમાં કોરોના વેક્સીનને કારણે ડોક્ટર દીકરીનું મોત થયું હોવાનો દાવો કરીને એક પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં ૧૦૦૦ કરોડના નુકસાનની માંગણી કરી છે. પિતાનો દાવો છે કે, તેમની પુત્રીનું મોત રસીની આડ અસરને કારણે થયું છે. તેમનો દાવો છે કે, તેમની પુત્રીના શરીર પર કોવિશિલ્ડ રસીની આડઅસર થઈ હતી અને તે મૃત્યુ પામી હતી. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતા આ પીડિત પિતા દિલીપ લુણાવત દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, તેમની પુત્રી સ્નેહા લુણાવત મેડિકલની વિદ્યાર્થીની હતી. કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે અને તેનાથી શરીર પર કોઈ ખોટી અસર થતી નથી. આ કારણે પોતે હેલ્થ વર્કર હોવાને કારણે તેણે પોતાની કોલેજમાં રસીનો ડોઝ લીધો હતો. પરંતુ રસીનો ડોઝ લીધા બાદ તેની હાલત વધુ બગડી અને અંતે તેનું મૃત્યુ થયું. મેડિકલ કોલેજ, નાસિકની મેડિકલ સ્ટુડન્ટ સ્નેહા લુણાવતના પિતાના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીએ ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધો હતો અને ૧ માર્ચના રોજ તેનું અવસાન થયું હતું. પીડિતાના પિતાના કહેવા પ્રમાણે, તેમની પુત્રીનું મૃત્યુ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રસી ઉત્પાદક સીરમ સંસ્થાની ભૂલને કારણે થયું છે. તેથી, કોર્ટે સીરમ ઇન્સ્ટિટ્યૂટને તેમના નુકસાન માટે વળતર તરીકે એક હજાર કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવો જાેઈએ. તેણે પોતાની અરજીમાં એમ પણ કહ્યું છે કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડ્ઢઝ્રય્ૈં) અને છૈંૈંસ્જીએ રસીની બિન-આડઅસર વિશે ખોટી માહિતી આપી હતી અને રાજ્ય સરકારે પણ તેની તપાસ કર્યા વિના રસી આપી હતી. તેણે એમ પણ કહ્યું છે કે, તે પોતાની પુત્રીને ન્યાય મેળવવા અને અન્ય લોકોના જીવ બચાવવા માટે આ અરજી દાખલ કરી રહ્યો છે. તેમની માંગ છે કે સરકારે સ્વીકારવું જાેઈએ કે તેમની પુત્રીને ખોટી માહિતી આપીને રસી આપવામાં આવી હતી. પીડિતાના પિતાએ પોતાની અરજીમાં વળતર તરીકે સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી એક હજાર કરોડ રૂપિયાની માંગણી કરી છે. તે જ સમયે, તેણે એવો પણ દાવો કર્યો છે કે ગૂગલ, યુટ્યુબ, મેટા જેવી કંપનીઓ રસીના કારણે મૃત્યુના સાચા આંકડા જાહેર કરી રહી નથી. તેથી કોર્ટે કેન્દ્ર સરકારને આ કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ આપવો જાેઈએ.
