Maharashtra

અરુંધતી ફિલ્મ જાેઈ કર્ણાટકના યુવકે પોતાને મોક્ષ મળશે તેમ આગ ચાપી

મુંબઈ
મોક્ષ મેળવવાની લાલસામાં તમે ઘણા કિસ્સાઓમાં લોકોને અચંબિત કરતા પગલાઓ ઉઠાવતા જાેયા હશે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાં સામે આવ્યો છે. મધુગીરી તાલુકાના ગિદડાઈહનાપલ્યા ગામમાં એક આઘાતજનક ઘટનામાં ગુરુવારે તેલુગુ હોરર કાલ્પનિક મૂવી ‘અરુંધતી’માં બતાવ્યા પ્રમાણે તેને “મોક્ષ” મળશે એવી માન્યતામાં એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક ૨૩ વર્ષીય રેણુકાપ્રસાદે બુધવારે સાંજે ગામની સીમમાં પેટ્રોલ છાંટીને પોતાને આગ ચાંપી દીધી હતી. કેટલાક કન્નડ કાર્યકરોની મદદથી પસાર થતા કેટલાક લોકોએ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી તેમને બેંગલુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તે ગુરુવારે હોસ્પિટલમાં ૬૦ ટકા દાઝી ગયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. રેણુકાપ્રસાદ એસએસએલસીની પરીક્ષામાં પુરાવારા ગામની સરકારી શાળામાં ટોપર હતો, જેના પગલે તેના પરિવારના સભ્યોએ તેને ઉચ્ચ અભ્યાસ માટે તુમાકુરુ લઈ ગયા હતા. પ્રથમ વર્ષ પીયુસી ક્લિયર કર્યા પછી ફિલ્મો જાેવાની લતને કારણે તેનું ધ્યાન અભ્યાસમાંથી હટી ગયું હતું. તેણે ‘અરુંધતી’ ઘણી વાર જાેઈ હતી, જેમાં નાયક તેની મરજીથી મરી જાય છે અને દુશ્મન સાથે બદલો લેવા માટે તેનો પુનર્જન્મ થાય છે. મૃતક યુવકના એક નજીકના સંબંધી અને લેક્ચરર રાજુએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, “તેણે ઓછામાં ઓછા ૧૫-૨૦ વખત ‘અરુંધતી’ જાેઈ હશે અને ફિલ્મમાં બતાવેલા કેટલાક હોરર દ્રશ્યોથી તે ભ્રમિત થઇ જતો હતો. અમે ઇચ્છતા હતા કે તે સારી રીતે ભણે અને સારી કારકિર્દી બનાવે. બદનસીબે, ફિલ્મો માટેના તેના વ્યસને તેનો જીવ લઈ લીધો.” પીડિતાએ તેના પિતા સિદ્દપ્પાને આત્મવિલોપન કર્યા પછી તરત જ “મુક્તિ” મેળવવાનું કહેતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રેણુકાપ્રસાદ એક જગ્યાએથી બીજી જગ્યાએ રખડતો રહેતો હતો, કારણ કે તે બેરોજગાર હતો. પોલીસે જણાવ્યું હતું કે, ” ચિંતાનો વિષય તે છે કે તે નજીકના બંકમાંથી ૨૦ લિટર પેટ્રોલ કેવી રીતે ખરીદવામાં સફળ રહ્યો હતો. જેમાંથી તેણે પોતાને આગ લગાવવા માટે એક લિટરનો ઉપયોગ કર્યો હતો.” કોડીજેનાહલ્લી પોલીસે એફઆઈઆરનો ગુનો નોંધી કેસની તપાસ હાથ ધરી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *