Maharashtra

એશિઝ શ્રેણીની હાર બાદ મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે રાજીનામું આપ્યું

મુંબઈ
એશિઝ ૨૦૨૧-૨૨ માં ઓસ્ટ્રેલિયા સામે ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો ત્યારથી સિલ્વરવુડ પર તલવાર લટકી રહી હતી. તે ચાહકોથી લઈને દિગ્ગજાે સુધીના ગુસ્સાનો શિકાર બની રહ્યા હતા. આવી સ્થિતિમાં, એવી અટકળો ચાલી રહી હતી કે સિલ્વરવુડને ટૂંક સમયમાં તેમના પદ પરથી હટાવી શકાય છે અને આખરે ગુરુવારે આ ર્નિણય જાહેર કરવામાં આવ્યો. સિલ્વરવુડને વર્ષ ૨૦૧૯માં ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. અગાઉ તે ટીમમાં બોલિંગ કોચની ભૂમિકા નિભાવી રહ્યા હતા. નવા કોચના નામની હજુ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર સ્ટીફર્ટને આ જવાબદારી આપવામાં આવી શકે છે. ટીમના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે ગાઇલ્સે તેમનું પદ છોડી દીધું છે. આમ હવે આ સિલ્વરવુડની વિદાયનો અર્થ એ છે કે મેનેજમેન્ટ મોટા ફેરફારોના મૂડમાં છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના સીઈઓ ટોમ હેરિસને કહ્યું, ક્રિસ સિલ્વરવુડે તેમના કાર્યકાળ દરમિયાન ટીમને સફળ બનાવવા માટે શક્ય તેટલું બધું કર્યું. તેમના કોચ હેઠળ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સફેદ બોલની ક્રિકેટમાં નંબર-૧ ટીમ બની અને ટેસ્ટમાં અમે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા ગયા અને ટેસ્ટ શ્રેણી જીતી. એન્ડ્રૂ સ્ટ્રોસને આગામી દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે કેરટેકર કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ત્યાર બાદ કોચિંગ માળખા અંગે વધુ ર્નિણય લેવામાં આવશે. ક્રિસ સિલ્વરવુડે કહ્યું, ‘ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવું સન્માનની વાત છે અને મેં ખેલાડીઓ અને સ્ટાફ સાથે જે રીતે કામ કર્યું છે તેના પર મને ગર્વ છે. છેલ્લા બે વર્ષ ખૂબ જ વ્યસ્ત રહ્યા છે, પરંતુ મેં ટીમ સાથે મારો સમય માણ્યો છે. હું હવે મારા પરિવાર સાથે થોડો સમય પસાર કરવાનું વિચારી રહ્યો છું.’ ઈંગ્લેન્ડ બોર્ડ ટૂંક સમયમાં નવા કોચની જાહેરાત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *