Maharashtra

ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું હાર્ટ એટેકથી નિધન થયું

મુંબઇ
ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. આ દુનિયાએ અચાનક ઘણા યુવા સ્ટાર્સને ગુમાવ્યા છે. તાજેતરમાં જ ‘ભાભી જી ઘર પર હૈ’ના કલાકારો ‘મલખાન’ એટલે કે ‘દીપેશ ભાન’ અને કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું મૃત્યુના સામે આવ્યા હતા જે બાદ વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે અન્ય એક યુવા અભિનેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આવો જાણીએ કોણ છે. જાે તમે વિચારી રહ્યા હોવ કે કયો અભિનેતા છે, તો જણાવી દઈએ કે ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ અભિનેતા ઘણા મોટા ટીવી શોમાં જાેવા મળ્યો છે અને તેની ઉંમર પણ વધારે નથી. તમને જણાવી દઈએ કે સિદ્ધાંત વીર સૂર્યવંશી જેનું નામ પહેલા આનંદ વીર સૂર્યવંશી હતું, તેઓ માત્ર ૪૬ વર્ષના હતા અને મુંબઈમાં રહેતા હતા. સિદ્ધાંતે કસૌટી ઝિંદગી કે અને મમતા જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. અહેવાલો અનુસાર, સિદ્ધાંત જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. સિદ્ધાંતે ૨૦૧૭માં બીજા લગ્ન કર્યા હતા, ૨૦૨૦-૨૦૨૧માં તેણે સીરિયલ ‘ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ૨૦૨૨માં તે ‘ઝિદ્દી દિલ માને ના’ માં જાેવા મળ્યો હતો. છેલ્લે સિરિયલમાં જાેવા મળ્યો હતો.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *