Maharashtra

મહારાષ્ટ્રમાં એક ઈવેન્ટમાં નિતીન ગડકરીએ અનેક પ્રશ્નોના રસપ્રદ જવાબો આપ્યા

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના સાંગલીમાં ઁદ્ગય્ સરાફ એન્ડ જ્વેલર્સને લગતી એક ઇવેન્ટમાં નિતીન ગડકરીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. અહીં તેમણે ઘણા રસપ્રદ જવાબો આપ્યા હતા. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો તેમની પાસે કામ માટે આવે છે. તેઓ અન્ય પક્ષના લોકોના કામ કરવામાં ભેદભાવ રાખતા નથી. એટલા માટે સંસદમાં ફોરવર્ડ બ્લોક પાર્ટીથી લઈને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી છૈંસ્ૈંસ્ સુધીના સાંસદોએ તેમની પ્રશંસા કરી છે. જ્યારે નીતિન ગડકરીને પૂછવામાં આવ્યું કે તેમને મુંબઈ પસંદ છે કે નાગપુર તો તેમણે નાગપુરની તરફેણમાં જવાબ આપ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જાે તેમને મહારાષ્ટ્રમાં દ્ગઝ્રઁ કે શિવસેનામાંથી કોઈ એકની પસંદગી કરવી હોય તો તેઓ કોને પસંદ કરશે. આના પર ગડકરીએ કહ્યું કે તેઓ બીજેપી સિવાય અન્ય કોઈ પાર્ટીને પસંદ કરશે નહીં. પછી તેમને પૂછવામાં આવ્યું કે તેમને મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે કોણ પસંદ છે? જવાબમાં ગડકરીએ કહ્યું, ‘બંને મારા સારા મિત્રો છે. મમતા બેનર્જી દિલ્હીમાં મને મળવા આવ્યા, પછી તેઓ માત્ર પીએમ નરેન્દ્ર મોદી અને મને મળ્યા હતા. તેઓ મટકીમાં ભરીને મારા માટે બંગાળથી રસગુલ્લા લાવ્યા હતા. સામાન્ય રીતે એક પક્ષના નેતાઓ બીજા પક્ષના નેતાઓને પસંદ કરતા નથી. પરંતુ સંસદમાં ફારુક અબ્દુલ્લાથી લઈને ઓવૈસી સુધી તમામ પાર્ટીના નેતાઓએ મને અભિનંદન પાઠવ્યા, આભાર માન્યો.’ જ્યારે નીતિન ગડકરીને પૂછવામાં આવ્યું કે તેમને હિન્દી અને મરાઠી ભાષામાં કઈ ભાષા વધુ ગમે છે? આના જવાબમાં ગડકરીએ કહ્યું કે, ‘મરાઠી કરતાં હિન્દી સારી રીતે બોલવું તે હું જાણું છું, એવું કહેવાય છે. નાગપુર એક સમયે મધ્ય પ્રદેશનો ભાગ રૂપે હતું. તેથી જ ત્યાં હિન્દી સારી રીતે બોલાય છે. હું દિલ્હીમાં હિન્દી બોલું છું. હું તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં અંગ્રેજી બોલું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *