Maharashtra

મહારાષ્ટ્રમાં શરદ પવારના પૌત્ર અને આદિત્ય ઠાકરેના ભાઈ કોરોના પોઝીટીવ

મહારાષ્ટ્ર
એનસીપી ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિતના કોરોના સંક્રમિત થવાના સમાચાર સોમવારે મોડી રાત્રે મળ્યા હતા. જ્યારે યુવા સેનાના નેતા અને આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા પણ અનેક મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરે, મંત્રી યશોમતી ઠાકુર, પ્રવાસ વિકાસ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જાેવા મળ્યા હતા. એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે અને તેમના પતિ સદાનંદ સુલે પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં ૧૨ હજાર ૧૬૦ કોરોના કેસ નોંધાયા હતા. આ સિવાય ૬૮ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ પણ મળી આવ્યા હતા. આ સિવાય સોમવારે પણ કોરોનાને કારણે ૧૧ લોકોના મોત થયા હતા. કોરોનાના ૧૨ હજારથી વધુ કેસોમાં એકલા મુંબઈમાં ૮ હજાર ૮૨ કેસ નોંધાયા છે. ઓમિક્રોન કેસની વાત કરવામાં આવે તો કુલ ૬૮ કેસમાંથી ૪૦ લોકો મુંબઈમાં જ ઓમિક્રોન પોઝિટિવ જાેવા મળ્યા છે. મહારાષ્ટ્રના અડધાથી વધુ કોરોના-ઓમીક્રોન ચેપ એકલા મુંબઈમાંથી બહાર આવી રહ્યા છે. મુંબઈમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંકટની વાત કરવામાં આવે તો મુંબઈમાં ૪૦ કેસની સાથે પુણેમાં પણ ૧૪ કેસ નોંધાયા છે. નાગપુરમાં ૪ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. પુણે ગ્રામીણ અને પનવેલમાં ઓમિક્રોનના ૩-૩ કેસ નોંધાયા છે. કોલ્હાપુર, નવી મુંબઈ, સતારા, રાયગઢમાંથી ૧-૧ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૭૮ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે. તેમાંથી ૨૫૯ લોકો ઓમિક્રોન મુક્ત પણ બની ગયા છે.મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં ઓમિક્રોન સાથે કોરોનાના કુલ કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં અનેક મંત્રીઓ અને ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હવે દ્ગઝ્રઁ ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. બીજી તરફ યુવા સેનાના નેતા અને આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈ પણ સંક્રમિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *