Maharashtra

મુંબઈમાં કુલ છૂટાછેડામાંથી ત્રણ ટકા અહીં ટ્રાફિક જામને કારણે થાય છે ઃ અમૃતા ફડણવીસ

મહારાષ્ટ્ર
દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે શુક્રવારે એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે મુંબઈમાં કુલ છૂટાછેડામાંથી ત્રણ ટકા અહીં ટ્રાફિક જામને કારણે થાય છે. અમૃતાએ કહ્યું કે હું પણ એક સામાન્ય નાગરિક છું અને રોજ મુસાફરી કરું છું પરંતુ ટ્રાફિક જામના કારણે હું ખૂબ પરેશાન થઈ જાઉં છું. મુંબઈમાં ભારે ટ્રાફિક જામમાં અટવાઈ જવાને કારણે લોકો તેમના પરિવારને સમય આપી શકતા નથી. અમૃતા ફડણવીસે રાજ્યની મહા વિકાસ અઘાડી સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ મહાવિકાસ નહીં પરંતુ મહાવસુલી સરકાર છે અને આ કામ માત્ર હું જ નહીં પરંતુ આખી દુનિયા કરી રહી છે. તેમણે કહ્યું કે મુંબઈમાં આવા ઘણા મુદ્દા છે જ્યાં સરકાર ધ્યાન નથી આપી રહી. મુંબઈમાં રોડ, ટ્રાફિક અને એસટી કર્મચારીઓની સમસ્યા છે. સરકારનું ધ્યાન આ બધા સિવાય પોતાના ખિસ્સા ભરવા પર છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે અમૃતા ફડણવીસના આરોપોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે અમે ક્યારેય દાવો કર્યો નથી કે મુંબઈના રસ્તા સુંવાળા છે, પરંતુ અમને માહિતી મળતાં જ અમે રસ્તાઓનું સમારકામ કરાવી લઈએ છીએ. તેમણે કહ્યું કે ટ્રાફિક જામના કારણે છૂટાછેડાનું નિવેદન બિલકુલ ખોટું છે. મેયરે વળતો પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે ભજરા હાલમાં મુંબઈને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. શિવસેનાએ મહિલા નેતાઓએ અમૃતા ફડણવીસના આ નિવેદનની મજાક ઉડાવી છે. શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદેએ કહ્યું કે એવું લાગે છે કે અમારા મામી નવા સંશોધન કરી રહ્યા છે. તેમના માટે વિશેષ બૌદ્ધિક શિબિરનું આયોજન કરવું જાેઈએ.

Amruta-Fadnavis.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *