Maharashtra

રીયા ચક્રવર્તી આઈઆઈએફએમાં ભાગ લઈ શકી નહીં

મુંબઈ
સુશાંતના ડેથ સાથે જાેડાયેલા નાર્કોટિક્સના કેસમાં રીયા આરોપી છે અને તેનો પાસપોર્ટ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જમા કરેલો છે. મુંબઈની સ્પેશિયલ કોર્ટે રીયાને અબુ ધાબીના પ્રવાસે જવા માટે શરતી મંજૂરી આપી હતી, જેના પગલે એનસીબીની ટીમે તેને પાસપોર્ટ પરત આપ્યો હતો. મુંબઈ ખાતેની સ્પેશિયલ કોર્ટે બીજી જૂનથી પાંચ જૂન સુધી અબુ ધાબી ટ્રાવેલ કરવા રિયાને મંજૂરી આપી હતી અને ભારત પરત આવ્યા પછી એનસીબી સમક્ષ પાસપોર્ટ સરન્ડર કરવા નિર્દેશ આપ્યા છે. આ સાથે અબુ ધાબી ખાતે આવેલ ઈન્ડિયન એમ્બેસીમાં રોજ રિપોર્ટ કરવા માટે પણ જણાવાયું છે. કોર્ટમાંથી શરતી મંજૂરી બાદ રીયાને ધ્યાનમાં આવ્યું હતું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા તેની સામે લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ કરાઈ છે. આ બાબત ધ્યાનમાં ન હોવાથી તેણે કોર્ટ સમક્ષ અરજી કરી હોવાનો દાવો કર્યો હતો અને પોતે વિદેશ નહીં જઈ શકે તેવું સ્વીકારી લીધુ હતું. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ નાર્કોટિક્સના કેસમાં રીયા ચક્રવર્તીને એરેસ્ટ કરવામાં આવી હતી. સુશાંતના નિધન મામલે નક્કર પુરાવા ન હોવાથી રીયાને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જાે કે તેને દેશ છોડવાની મનાઈ ફરમાવી હતી. સુશાંતના મોત બાદથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલી રીયાને મદદરૂપ થવા માટે બોલિવૂડમાંથી પ્રયાસ થયો હતો. રીયાને અબુ ધાબી ખાતે યોજાઈ રહેલા ૈંૈંહ્લછમાં લઈ જવાનો પ્લાન હતો અને કોર્ટે તેને શરતી મંજૂરી પણ આપી હતી. જાે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા રીયા સામે લૂક આઉટ નોટિસ જારી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં તેના અબુ ધાબી જવાના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.

Entertainment-Riya-Chakraborty-could-not-participate-in-IIFA-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *