Maharashtra

૨૫ વર્ષ ભાજપ સાથે ગઠબંધન કરીને વેડફ્યા ઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર
બાળાસાહેબની જન્મજયંતિ નિમિત્તે આયોજિત વર્ચ્યુઅલ ઈવેન્ટ દરમિયાન ઠાકરેની સાથે શિવસેનાના નેતા સંજય રાઉતે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. સંજય રાઉતે કહ્યું કે જાે ઉદ્ધવ ઠાકરે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ન હોત તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને લકવાગ્રસ્ત કરી દેત. તેમણે શિવસૈનિકોને કહ્યું કે આપણે આપણા પક્ષના વડા, રાજ્યના મુખ્યમંત્રી અને શિવસેનાની સાથે મજબૂતીથી ઊભા રહેવાનું છે. આ લડાઈ સરળ નથી.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ માને છે કે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને ૨૫ વર્ષ વેડફ્યા છે. પાર્ટીના સ્થાપક અને તેમના પિતા બાલ ઠાકરેની ૯૬મી જન્મજયંતિ પર શિવસૈનિકોને સંબોધતા ઉદ્ધવે કહ્યું કે ભાજપનું હિન્દુત્વ સત્તા માટે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ ભાજપને છોડી દીધું છે, હિન્દુત્વને નહીં. હું માનું છું કે ભાજપનું તકવાદી હિન્દુત્વ સત્તા માટે છે. હકીકતમાં, ૨૦૧૯ની મહારાષ્ટ્ર ચૂંટણી પછી, શિવસેનાએ ભાજપથી અલગ થઈને મહા વિકાસ અઘાડી (સ્ફછ) સરકાર બનાવવા માટે દ્ગઝ્રઁ અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમિત શાહ પુણે આવ્યા હતા અને હિંમત હોય તો એકલા લડવા પડકાર ફેંક્યો હતો. અમે એકલા લડવા તૈયાર છીએ પરંતુ મારી શરત છે કે તમે તમારી શક્તિનો ઉપયોગ સરકારના રૂપમાં ન કરો. અમે અમારી શક્તિનો પણ ઉપયોગ નહીં કરીએ. ચાલો બે રાજકીય પક્ષો તરીકે લડીએ. પછી આપણે જાેઈશું કે કોણ વધુ શક્તિશાળી છે. ઇડી, ઇન્કમટેક્સનો ઉપયોગ કરવો અને પછી લડવું એ યોગ્ય નથી. ઠાકરેએ કહ્યું, ‘ભાજપનો સિદ્ધાંત ઉપયોગ કરો અને ફેંકો નીતિ છે. એ દિવસો યાદ કરો જ્યારે ભાજપના ઉમેદવાર ચૂંટણીમાં તેમની ડિપોઝિટ ગુમાવતા હતા. તે સમયે તેમને અમારી જરૂર હતી, તેઓએ અમારી સાથે ગઠબંધન કર્યું, અકાલી દળ અને મમતા સાથે અને અટલ બિહારી વાજપેયીએ કેન્દ્રમાં સરકાર બનાવી. અમે તેને પૂરા દિલથી ટેકો આપ્યો. પરંતુ હવે આ નવ-હિંદુત્વવાદીઓ હિંદુત્વનો ઉપયોગ માત્ર પોતાના ફાયદા માટે કરી રહ્યા છે.

Uddhav-Thackeray.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *