Maharashtra

અભિનેત્રીનએ ભીડમાં એક વ્યક્તિએ કરેલી હરકતનું દર્દ સોશિયલ મીડિયા પર કર્યું વ્યક્ત

મુંબઈ
સોશિયલ મીડિયા પર હાલમાં એક એવું માધ્યમ બની ગયું છે, જેના દ્રારા કોઇપણની જીંદગીમાં ડોકિયું કરી શકો છો. લોકો પોતાની લાઇફ અપડેટ્‌સ સોશિયલ મીડિયા પર શેર કરીને ચર્ચાનો વિષય બની જાય છે અને કેટલાક તો એવી વસ્તુઓ પણ શેર કરી દે છે જેનાથી લોકોને આંખો ચાર થઇ જાય છે. તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર પોતાની પોસ્ટના માધ્યમથી ચોંકાવનારો ખુલાસો કરતાં એક જાણિતી મલયાલમ ફિલ્મ અભિનેત્રીએ કહ્યું કે તેમની એક ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રીનું યૌન ઉત્પીડન થયું. આ ખુલાસા બાદ હવે અભિનેત્રીના ફેન્સ ખૂબ પરેશાન છે. મલયાલી અભિનેત્રીએ લોકોની ‘યૌન કુંઠા’ ને લઇને ગુસ્સો અને ચિંતા વ્યક્ત કરતાં પોતાની પોસ્ટમાં કહ્યું કે મંગળવારે રાત્રે આ વ્યસ્ત મોલમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન એક અન્ય અભિનેત્રીએ પણ કંઇક એ પ્રકારનો અનુભવ શેર કર્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જાેવા મળ્યો અને સ્થાનિક ટીવી ચેનલોએ તેનું પ્રસારણ કર્યું. અભિનેત્રીએ ગત રાત્રે પોતાની પોસ્ટમાં લખ્યું ‘કોઝિકોડ એક જગ્યા છે જેને હું ખૂબ પ્રેમ કરું છું. પરંતુ આજે રાત્રે એક કાર્યક્રમ બાદ પરત ફરતી વખતે ભીડમાં એક વ્યક્તિએ મને પકડી લીધી. મને આ કહેતાં ધૃણા થાય છે કે શું આપણી આસપાસના લોકો તેને કુંઠિત છું? અમે ફિલ્મના પ્રચારના મુદ્દે ઘણી જગ્યાઓ પર જાય છે. પરંતુ મને આવો ખરાબ અનુભવ બીજે ક્યાંય થયો નથી. મારી સહયોગીને પણ આવો જ અનુભવ થયો. ભીડના દુવ્યવહારનો શિકાર થઇ અન્ય અભિનેત્રીએ પણ પોતાના ઇંસ્ટાગ્રામ પેજના માધ્યમથી પોતાના ખરાબ અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે મોલમાં ભીડભાડ હતી અને સુરક્ષાકર્મી ભીડને કાબૂમાં કરવાની મહેનત કરી રહ્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે એક વ્યક્તિએ તેમની એક સાથી કલાકાર સાથે દુર્વ્યવહાર કર્યો પરંતુ તે પ્રતિક્રિયા આપી શકી નહી. તેમણે કહ્યું કે ‘પછી મને પણ આ પ્રકારના અનુભવનો સામનો કરવો પડ્યો, પરંતુ હું તેનો જવાબ આપ્યો. હું ઇચ્છું છું કે કોઇને પણ પોતાના જીવનમાં આ પ્રકારના અનુભવનો સામનો કરવો પડે નહી. તેમણે કહ્યું કે દોષીને દંડિત કરવા જાેઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *