મહારાષ્ટ્ર
એકનાથ શિંદે રાજ્ય કેબિનેટમાં શહેરી વિકાસ મંત્રી અને થાણે જિલ્લાના પાલક મંત્રી છે. અરવિંદ સાવંત કેન્દ્રમાં શિવસેનાના ક્વોટામાંથી મંત્રી રહી ચૂક્યા છે. ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટતાં તેમણે રાજીનામું આપ્યું હતું. હાલમાં તેઓ શિવસેનાના સાંસદ છે અને સંજય રાઉત સાથે પાર્ટીના મુખ્ય પ્રવક્તા છે. આ સિવાય એનસીપીના ધારાસભ્ય રોહિત પવાર, શિવસેનાના વરુણ દેસાઈ, ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકર છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમિત જાેવા મળેલા નેતાઓમાં સામેલ છે. એકનાથ શિંદે મુંબઈ અને નવી મુંબઈમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરવા સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. તેમના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપતા તેણે કહ્યું કે, ‘મેં કોરોના ટેસ્ટ કરાવ્યો છે. ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી સારવાર ચાલુ છે. મારી હાલત સ્થિર છે. તમારા બધાના આશીર્વાદથી હું જલ્દી જ કોરોનાને હરાવીશ અને ફરી એકવાર તમારી સેવામાં હાજર રહીશ. જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવ્યા છે, તેમનો કોરોના ટેસ્ટ કરાવો અને પોતાની સંભાળ રાખો. મારી અપીલ છે કે તેઓ માસ્કનો ઉપયોગ કરે. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. બે દિવસ પહેલા એક મીટિંગમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે મંત્રીઓ અને નેતાઓના ઝડપી સંક્રમિત થવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, જ્યારે સંમેલન ૫ દિવસનું હતું ત્યારે ૧૦ થી વધુ મંત્રીઓ અને ૨૦ થી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત જાેવા મળ્યા છે. જાે સંમેલન હજુ થોડા દિવસ ચાલ્યું હોત તો અડધી કેબિનેટ કોરોના પોઝિટિવ થઈ ગઈ હોત. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં ભીડ વધુ જાેવા મળશે ત્યાં હું તે કાર્યક્રમમાં હાજરી આપીશ નહીં. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, જાે આપણે નેતાઓ કોરોનાના નિયમોનું પાલન નથી કરતા તો જનતા પાસેથી કયા મોઢે કોરોનાના નિયમોનું પાલન કરવાની અપેક્ષા રાખવી જાેઈએ.મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી અને શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે કોરોનાગ્રસ્ત થયા છે. શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતને પણ કોરોના થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા નેતાઓને કોરોના સંક્રમિત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રાજ્યના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. આ શ્રેણી સતત વધી રહી છે. હવે આ યાદીમાં મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતનું નામ જાેડાઈ ગયું છે.


