મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત હનુમાન ચાલીસા વિવાદ પર મૌન તોડ્યું છે અને હનુમાન ચાલીસા વાંચવા અંગે પહેલું નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાને કોઈએ હિન્દુત્વનો પાઠ ન ભણાવવો જાેઈએ. તેમણે કહ્યું કે, અમને ઘંટ વગાડનાર હિન્દુ નથી જાેઈતો, કારણ કે તે પોતે ગદા ધારી હિન્દુ છે. માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, જાે કોઈને પણ માતોશ્રી પર આવવું હોય તો આવજાે, પરંતુ દાદાગીરી નહીં ચાલે. જાે તમે આમ કરશો તો દાદાગીરી કેવી રીતે તોડવી તે બાળાસાહેબે તમને શીખવ્યું છે. અમે મુંબઈ માટે કામ કરીએ છીએ, મુંબઈ જે ટેક્સ ચૂકવે છે. અમે વિકાસ કરીએ છીએ. આપણી અને રાષ્ટ્રવાદી સરકારમાં આ જ ફરક છે. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે, ‘હું ટૂંક સમયમાં રેલી કરીશ અને સભામાં જ બધું કહીશ. આ નકલી હિંદુત્વવાદીઓ આવ્યા છે અને તેમની વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે કે તેમનો શર્ટ (કમીઝ) મારા કરતાં ભગવી કેવી રીતે છે? કેટલાક લોકોનજ પેટમાં એસિડિટી થઈ છે. તેમની પાસે કોઈ કામ નથી. વગર કામે ઢોલ વગાડવાનું તેમનું કામ છે. હું તેમને મહત્વ નથી આપતો. મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકારે આજે (૨૫ એપ્રિલ) સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં ભાજપ સિવાય તમામ પક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભાજપ તરફથી પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રકાંત પાટીલ હાજરી આપવાના હતા. બેઠક બાદ મહારાષ્ટ્ર સરકારના આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ મંદિર-મસ્જિદનો મામલો નથી, લાઉડસ્પીકરનો મામલો છે. અમે કોઈ એક પક્ષ માટે નિયમો બનાવી શકતા નથી. અમે કેન્દ્ર સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરીશું અને સાથે જ રાજ્યમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે. મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિને બોમ્બે હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. નવનીત રાણાએ બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી, જેની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે રાણા દંપતીની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જાહેર જીવન જીવતા લોકોની જવાબદારી સાથે વર્તવું જાેઈએ. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની વાત કરી હતી, જેના કારણે શિવસેનાના કાર્યકર્તાઓ ખૂબ ગુસ્સે થયા હતા અને તેઓએ રાણાના ઘરની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુંબઈ પોલીસે રાણા દંપતી વિરુદ્ધ હ્લૈંઇ નોંધી છે અને બાદમાં રાજદ્રોહનો આરોપ ઉમેર્યો છે. પછી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે મુંબઈની એક કોર્ટે રાણા દંપતીને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. રવિવારે મોડી રાત્રે અમરાવતીના સાંસદ નવનીત રાણાને ભાયખલા મહિલા જેલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે તેમના પતિ રવિ રાણાને પહેલા આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ જગ્યાના અભાવને કારણે તેમને નવી મુંબઈની તલોજા જેલમાં લઈ જવામાં આવ્યા હતા.


