Maharashtra

રિચા ચઢ્ઢાને ભારતીય સેનાની મજાક ઉડાવવી ભારે પડી

મુંબઈ
રિચા ચઢ્ઢાએ ઇન્ડિયન આર્મીની મજાક ઉડાવી, ર્ઁંદ્ભ પરત લેવા પર ગલવાન વાળી વાત યાદ કરાવીને ટોન્ટ માર્યો. રિચા ચઢ્ઢાએ માંગવી પડે માંફી, ઈન્ડિયન આર્મીની મજાક ઉાજાવી હતી. અભિનેત્રી અવારનવા પોતાના વિવાદિત નવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ મામલે ભારે વિવાદ બાત રિચા ચઢ્ઢાએ આખરે ભારતીય સેનાના જવાનોની માંફી માંગી લીધી છે. રિચાએ પોતાના માફીનામાં કહ્યુંકે, મને ખ્યાલ નહોતો કે મારા નિવેદનને આ રીતે લેવામાં આવશે. જાે કોઈ ફોજી જવાનને એનાથી દુઃખ થયું હોય તો હું માફી માંગું છું. મારા નાના પણ સેનામાં હતા એમણે પણ દેશ માટે ગોળી ખાધી છે. મારા મામા પણ ફોજી હતાં. તેથી મારા મનમાં સેનાના જવાનો માટે ખુબ આદર છે. બોલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પર ટિ્‌વટર પર તેની તાજેતરની પોસ્ટમાં સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિચાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછું લેવા માટે આદેશ આપવામાં આવે તો તેને એક્ઝિક્યુટ કરવા તૈયાર છે. આના પર રિએક્ટ કરતા રિચાએ કહ્યું કે, “ગલવાન કહે છે હાય.” મ્ત્નઁના મંજ઼ન્દિર સિંહ સિરસાએ કહ્યું કે, “આ એક શરમજનક ટ્‌વીટ છે. વહેલી તકે પાછી ખેંચી લેવી જાેઈએ. આપણા સશસ્ત્ર દળોનું અપમાન કરવું વ્યાજબી નથી.” ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું મંગળવારે નિવેદન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના અગાઉના નિવેદનના સંદર્ભમાં આવ્યું છે કે, ભારતનું લક્ષ્ય પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર ફરી દાવો કરવાનું છે. સંરક્ષણ પ્રધાને કહ્યું, “અમે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિકાસની અમારી યાત્રા શરૂ કરી છે. જ્યારે અમે ગિલગિટ અને બાલ્ટિસ્તાન પહોંચીશું ત્યારે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરીશું.” આ નિવેદન પર ટિપ્પણી કરતા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, “ઇન્ડિયન આર્મી હંમેશા સરકારના આદેશનો અમલ કરવા માટે તૈયાર છે. ભારતીય સેના ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈપણ આદેશનું પાલન કરશે. જ્યારે પણ આવા આદેશો આપવામાં આવશે, અમે હંમેશા તેના માટે તૈયાર રહીશું,” ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં યુઝર્સે આકરા પ્રહાર કરતા રિચા ચઢ્ઢાએ પોતાનું એકાઉન્ટ લોક કરી દીધું છે. તે અપ્રુવ કરી શકે તે ફોલોઅર્સ જ તેની ટ્‌વીટ્‌સ જાેઈ શકે. ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોની ચીની સૈનિકો સાથે અથડામણ થઈ હતી જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. કલાકો સુધી ચાલેલી અથડામણમાં કેટલાક ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા પરંતુ ચીને ક્યારેય આ લડાઈમાં ગુમાવેલા સૈનિકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી.

Page-42.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *