મુંબઈ
ભારતના કેપ્ટન રોહિત શર્મા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝને પાંચ વખત આઈપીએલમાં ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો છે. આ સિઝન મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત માટે ખાસ નથી રહી. રોહિત શર્માએ ૧૪ મેચમાં ૧૯.૧૪ની એવરેજ તથા ૧૨૦.૧૭ના સ્ટ્રાઈક રેટથી ૨૬૮ રન જ કર્યા હતા. આ અંગે બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, બધા માણસ છે અને ભૂલ કરી શકે છે. રોહિતનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ અદભૂત છે. એશિયા કપ અને પાંચ વખત આઈપીએલ જીતાડવામાં તેની ભૂમિકા રહી છે. કોહલી પણ આઈપીએલમાં ત્રણ ગોલ્ડન ડક સાથે ૨૩૫ રન કરી શક્યો છે. આ મામલે ગાંગુલીએ જણાવ્યું કે, રોહતિ અને કોહલીના ફોર્મથી ચિંતા નથી. બન્ને સારા ખેલાડીઓ છે અને તેઓ મોટી ઈનિંગ ટૂંકમાં રમશે. તેઓ ઘણું ક્રિકેટ રમે છે જેથી કોઈ વખત આઉટ ઓફ ફોર્મ જવું સહજ છે. આ બન્ને મહાન ખેલાડીઓ છે તેમ ગાંગુલીએ વધુમાં જણાવ્યું હતું. બોર્ડ પ્રમુખે તાજેતરમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર ઉમરાન મલિક અંગે કહ્યું કે, મલિકનું ભાવિ તેના હાથમાં છે. જાે તે ફિટ રહે છે અને પેસ બોલિંગ કરી શકે છે તો તે લાંબો સમય ટકી રહેશે.


