Maharashtra

વિધાનસભામાં છત્રપતિ શિવાજી પર નિવેદનનો વિવાદ થતા, રાજ્યપાલે ભાષણ પડતું મુક્યું

મહારાષ્ટ્ર
મહાવિકાસ અઘાડીના ધારાસભ્યોએ ‘શિવાજી મહારાજ કી જય’ના નારા લગાવીને સત્રની શરૂઆત કરી હતી. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ થોડા દિવસો પહેલા શિવાજી મહારાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. પરંતુ જ્યારે રાજ્યપાલે સેન્ટ્રલ હોલમાં પોતાનું ભાષણ શરૂ કર્યું, ત્યારે ભાજપ પક્ષે નવાબ મલિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમના રાજીનામાની માંગણી કરી. આ સૂત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલ પોતાનું સંબોધન પૂરું ન કરી શક્યા અને વિધાન ભવન છોડીને ચાલ્યા ગયા. મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટીલે ભાજપના ધારાસભ્યોના આ વર્તનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું અને તેની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે મહામહિમ રાજ્યપાલનું અપમાન છે. બજેટ સત્રની શરૂઆત તેમના ભાષણથી થાય છે, પરંતુ તેમને તેમનું ભાષણ પૂરું કરવા દેવામાં આવ્યું ન હતું, આ ખોટી વાત છે, આવું ક્યારેય બન્યું નથી. વરિષ્ઠ પત્રકાર સંજય જાેગના જણાવ્યા અનુસાર આવું ક્યારેય બન્યું નથી કે જ્યાં રાજ્યપાલને તેમનું ભાષણ અધૂરું છોડવું પડ્યું હોય, હાલમાં રાજ્યના ઈતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે. મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર આજે હંગામા સાથે શરૂ થયુ. પ્રોટોકોલ મુજબ રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *