પંજાબ
આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તે ૧ જુલાઈથી દરેક ઘરમાં ૩૦૦ યુનિટ મફત વીજળી આપશે. પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્ય ચૂંટણી વચનોમાંનુ એક ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાનુ હતુ. છછઁના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગયા વર્ષે જૂનમાં રાજ્યમાં ઘર દીઠ ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાનુ વચન આપ્યુ હતુ. કેજરીવાલે રાજ્યમાં ચોવીસ કલાક વીજ પુરવઠો બાકી રહેલ વીજ બિલો માફ કરવાનુ વચન પણ આપ્યુ હતુ. ભગવંત માને એપ્રિલમાં કહ્યુ હતુ કે જાે બે મહિનામાં વીજળીનો વપરાશ ૬૦૦ યૂનિટથી વધી જાય તો ગ્રાહકે સમગ્ર વીજળી વપરાશ માટે ચૂકવણી કરવી પડશે. અનુસૂચિત જાતિઓ, પછાત જાતિઓ, ગરીબી રેખા હેઠળના પરિવારો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે માત્ર ૬૦૦ યુનિટથી વધુ માટે ચાર્જ લેવામાં આવશે.પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને જણાવ્યુ હતુ કે રાજ્યમાં લગભગ ૫૧ લાખ ઘરોને મફત વીજળી બિલ મળશે અને ઉમેર્યું હતું કે ૧ જુલાઈથી ૩૦૦ યુનિટ મફત વીજળીનુ વચન લાગુ કરવામાં આવ્યુ છે. પંજાબના સીએમ ભગવંત માને ટ્વીટ કર્યુ, ‘પંજાબવાસીઓ સાથે વીજળીની ગેરંટી સંબંધિત એક સારા સમાચાર શેર કરુ છુ. મફત વીજળીનુ વચન ૧ જુલાઈથી અમલમાં આવ્યુ છે. જુલાઈ-ઓગસ્ટનુ બિલ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવશે. સારા સમાચાર એ છે કે લગભગ ૫૧ લાખ ઘરોનુ વીજળી બિલ શૂન્ય હશે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ.’
