પંજાબ
પંજાબ સરકારે રાશનની ડોર સ્ટેપ ડિલિવરી અંગે મોટો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે કહ્યું છે કે, પંજાબમાં રાશનની ડોર સ્ટેપ ડિલિવરી શરૂ થશે. સરકાર ઘરે ઘરે રાશન પહોંચાડશે. આ કામ માત્ર અધિકારીઓ જ કરશે. આ યોજના દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે શરૂ કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે દિલ્હીમાં આ યોજના બંધ કરી દીધી હતી. આ પહેલા પંજાબ આમ આદમી પાર્ટીએ પોતાના ટિ્વટર હેન્ડલ દ્વારા માહિતી આપી હતી કે મુખ્યમંત્રી ભગવંત માન આજે પંજાબની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. માને એક વીડિયો સંદેશ દ્વારા કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ગરીબ લોકોને રાશન મેળવવા માટે રાશનની દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જ્યારે દુનિયા એટલી ડીજીટલ બની ગઈ છે કે ફોન કોલ પર જે પણ ઓર્ડર કરે છે તે ઘરે આવી જાય છે. ઘણી વખત ગરીબોને રાશન મેળવવા માટે તેમની દૈનિક મજૂરી છોડવી પડે છે. એ દુઃખદ છે. જેમને એક જ દિવસે કમાવવાનું અને ખાવાનું હોય છે, તેઓએ તેમના હિસ્સાના રાશન મેળવવા માટે દૈનિક મજૂરી છોડી દેવી પડે છે. હું એવી વૃદ્ધ માતાઓને પણ ઓળખું છું જેઓ બે કિલોમીટર ચાલીને રેશન ડેપો જાય છે. પછી તે તેને સાફ કરે છે. કેટલીકવાર તે રાશન ખાવા માટે પણ યોગ્ય હોતું નથી, પરંતુ તેમ છતાં તેમને તે ખાવું પડે છે. જાે કે હવે આવું નહીં થાય. તેમણે કહ્યું કે તમારા દ્વારા ચૂંટાયેલી આમ આદમી પાર્ટીની સરકારે ર્નિણય લીધો છે કે આવા લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે.
