પંજાબ
પંજાબ વિધાનસભાની ચૂંટણીને માત્ર ત્રણ દિવસ બાકી છે. તેની વચ્ચે કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદને કારણે નેતાઓની ફેરબદલ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે પંજાબમાં અમૃતસર કોંગ્રેસના કાઉન્સિલર પ્રિયંકા શર્મા, મનદીપ આહુજા, ગુરજીત કૌર પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમૃતસરના મેયર કરમજીત સિંહ પાર્ટીમાં સામેલ થયા હતા. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં સભ્યપદ લીધું હતુ. અમૃતસરના મેયર કરમજીત સિંહ રિન્ટુએ છછઁમાં જાેડાયા બાદ કહ્યુ હતુ કે, હું ખૂબ જ ખુશ છું. તેણે કહ્યું કે મારું આમ આદમી પાર્ટી માં જાેડાવું પંજાબીઓ માટે સારું રહેશે. ઉલ્લેખનીય છે કે, રિન્ટુ અમૃતસર નોર્થનો મોટો ચહેરો છે. ૨૦૧૨ની ચૂંટણીમાં રિન્ટુને અમૃતસર ઉત્તરથી અનિલ જાેશી સામે ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ કરમજીત સિંહ રિન્ટુનો પરાજય થયો હતો. કરમજીત સિંહ રિન્ટુ આમ આદમી પાર્ટીમાં જાેડાયા બાદ સુનીલ દત્તીની મુશ્કેલીઓ વધતી જાેવા મળી રહી છે, કારણ કે રિન્ટુનો ઘણો મજબૂત આધાર છે, તેથી છછઁના ઉમેદવાર કુંવર વિજય પ્રતાપ સિંહને તેનો સીધો ફાયદો મળવાનો છે. જાે પાર્ટીના સૂત્રોનું માનીએ તો આ વખતે ઉત્તરીય સેગમેન્ટમાં જીછડ્ઢના અનિલ જાેશી અને છછઁના ઉમેદવાર કુંવર વિજય પ્રતાપ વચ્ચે મુકાબલો છે. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ અશ્વિની પપ્પુ અને વરિષ્ઠ નેતા રંજન અગ્રવાલ પણ દાતીના ચૂંટણી પ્રચારથી દૂર છે. જાે કે, મંગળવારે બટાલા રોડ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન આ બંને નેતાઓ ચોક્કસપણે દેખાયા હતા. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને છછઁના નેતા ભગવંત માને દાવો કર્યો હતો કે તેઓએ શ્રી ચમકૌર સાહિબ અને ભદૌરમાં સર્વે કરાવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે ઝ્રસ્ ચરણજીત સિંહ ચન્ની બંને સીટો પર હારી રહ્યા છે. તેમના દાવા બાદ કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે.