Punjab

પંજાબ પોલીસે આતંકવાદી જેવું વર્તન કર્યું ઃ તેજિન્દર બગ્ગાના પિતા

પંજાબ
ભાજપના નેતા તેજિન્દર બગ્ગાના કેસને લઈને રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન તેજિન્દર બગ્ગાના પિતાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેજિન્દર બગ્ગાના પિતા પ્રીતપાલ સિંહ બગ્ગાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ તેમના પુત્રથી ડરે છે કારણ કે બગ્ગા કેજરીવાલ અને તેમની પાર્ટીના લોકોના ખોટા કાર્યોને ઉજાગર કરી રહ્યા છે. પ્રીતપાલ સિંહે એવો પણ દાવો કર્યો હતો કે કેજરીવાલે તેજિન્દર બગ્ગાને આમ આદમી પાર્ટીમાં જાેડાવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ તેમની પાર્ટીમાં જાેડાયા નહોતા. તેના પિતા પ્રીત પાલસિંહે તેજિંદર બગ્ગાની ધરપકડ પર રોક લગાવવા પર ખુશી વ્યક્ત કરી છે. સત્યની જીત થઈ છે. કેજરીવાલના જુઠ્ઠાણાનો પરાજય થયો. મોહાલી કોર્ટે તેજિન્દર સિંહ બગ્ગા માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. બગ્ગાના પિતા પ્રીતપાલ સિંહ બગ્ગાએ કહ્યું કે તેઓ ખુશ છે કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેજિન્દર બગ્ગા સામે બળજબરીથી પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો છે. તેજિન્દર આ સમયે વકીલોના સંપર્કમાં છે. મેં હજી તેની સાથે વાત કરી નથી. છેલ્લી વાર તેણે મને કહ્યું કે તે વકીલોના સંપર્કમાં છે. બીજેપી નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાની ધરપકડ પર ૧૦ મે સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે બગ્ગાના ધરપકડ વોરંટ પર સુનાવણી કર્યા બાદ આ ર્નિણય આપ્યો છે. ધરપકડ અંગે તેજિન્દર પાલ બગ્ગાએ આરોપ લગાવ્યો કે પંજાબ પોલીસે આતંકવાદીઓ જેવું વર્તન કર્યું. પોલીસ પર પિતા પર હુમલો કરવાનો આરોપ છે. બીજી તરફ બગ્ગાની ધરપકડ સામે ભાજપનો હોબાળો ચાલુ છે. બગ્ગાની ધરપકડ કરીને દિલ્હી પરત લાવવામાં આવ્યાના એક દિવસ પછી, ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત અને બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા સહિત ઘણા નેતાઓ તેજિન્દર બગ્ગાને મળ્યા અને પંજાબ પોલીસની આકરી ટીકા કરી.

India-Panjab-BJP-Leader-Tajinder-Singh-Bagga-Panjab-and-Hariyana-High-Court-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *