Rajasthan

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક જ ઘરમાં ૬ લોકોએ સામૂહિક આત્મહત્યા કરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

ઉદયપુર
એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે દિલ્હીના બુરાડી ઘટનાની હૃદયદ્રાવક યાદો તાજી કરી દીધી છે. બુરાડીના ઘરનું તે રૂવાંડા ઉભા કરતું દ્રશ્ય પણ યાદ આવ્યું, જ્યારે એક ઘરમાં ૧૦ લોકોના મૃતદેહો ફાંસી પર લટકતા હતા. તેવી જ રીતે ઉદયપુરના ગોગુંડા તહસીલના એક ગામમાં સામૂહિક મૃત્યુનો મામલો પોલીસ પાસે આવ્યો છે. આ બાબતને આપણે દિલ્હીની બુરાડી ઘટનાની જેવી જ કહી રહ્યા છીએ. ચાલો આ સમગ્ર મામલો શું છે. ઉદયપુરના ગોગુંડા તાલુકામાં એક ગામ છે. નામ છે ગોળ નાડી. ગામના લોકો ખેતી પણ કરે છે અને ઘણા લોકો શહેરોમાં જઈને કામ કરે છે. એ જ ગામમાં એક કુટુંબ હતું. જેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. પરિવારના વડાનું નામ પ્રકાશ ગામેતી હતું. તેમની પત્નીનું નામ દુર્ગા ગામેતી હતું. બંનેને ચાર બાળકો હતા. માત્ર ૩ થી ૪ મહિનાનો ગંગારામ, ૫ વર્ષનો પુષ્કર, ૮ વર્ષનો ગણેશ અને ૩ વર્ષનો રોશન. હકીકતમાં આ પરિવાર ગામમાં ખેતરના કિનારે પર બનેલા મકાનમાં રહેતો હતો. ત્યાં પ્રકાશ અને તેના બે ભાઈઓના ઘર બાજુમાં બાંધવામાં આવ્યા હતા. પ્રકાશ ગુજરાતમાં નોકરી કરતો હતો. રોજની જેમ સોમવારે પણ લોકો સવારથી જાગી ગયા હતા. બધા પોતપોતાના કામે જવા તૈયાર થઈ રહ્યા હતા. સૂર્યના ઉદયની સાથે સાથે ગામના લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો હતો. દરમિયાન પ્રકાશનો ભાઈ તેમના ઘરે આવ્યો હતો. તેણે દરવાજાે ખખડાવ્યો. પણ દરવાજાે ન ખૂલ્યો. પ્રકાશના ભાઈને ચિંતા થવા લાગી. તેને બૂમો પાડતા અને દરવાજાે ખખડાવતો જાેઈને ગામના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા. આ પછી બધાએ મળીને દરવાજાે તોડવાનું નક્કી કર્યું અને દરવાજાે તોડ્યો. દરવાજાે ખોલતાની સાથે જ ગામલોકોએ સપનામાં પણ ન વિચાર્યું હોય તેવું દૃશ્ય જાેવા મળ્યું. ચાર મૃતદેહો ઘરની અંદર છત પર લટકેલી હતી અને બે મૃતદેહો જમીન પર પડેલા હતા. આ ભયાનક દ્રશ્ય જાેઈ ગ્રામજનો અને પ્રકાશના ભાઈ ગભરાઈ ગયા હતા. પ્રકાશના ભાઈને વિશ્વાસ જ ન હતો કે તેનો ભાઈ, ભાભી અને ચાર નિર્દોષ ભત્રીજા હવે આ દુનિયામાં નથી. વાસ્તવમાં, પ્રકાશ અને તેના ત્રણ પુત્રોના મૃતદેહ ચુંદડી અને સાડીની મદદથી છત પર લટકેલા હતા. જ્યારે તેમની પત્ની દુર્ગા અને માત્ર ૩ મહિનાનો પુત્ર ગંગારામ ઘરના ફ્લોર પર મૃત હાલતમાં પડેલા હતા. ઘરની આ હૃદયદ્રાવક દૃશ્યો જાેઈને લોકો સમજી શક્યા નહીં કે આ કેવી રીતે થયું? ભાઈઓ અને સંબંધીઓ ત્યાં પહેલેથી જ ભેગા થઈ ગયા હતા. સર્વત્ર શોકનો માહોલ હતો. ગામેતી પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ અંગે પ્રકાશના બીજા ભાઈએ પોલીસને જાણ કરી હતી. થોડી જ વારમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ક્રાઈમ સીનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ પછી, ફોરેન્સિક અને ડોગ સ્કવોડની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.પોલીસે પ્રકાશના ઘરના દરેક ખૂણાની તપાસ કરી. ફોરેન્સિક ટીમે ચારે બાજુથી પુરાવા એકઠા કરવાનો પ્રયાસ કર્યો હતો. નવાઈની વાત એ હતી કે પ્રકાશ ગામેતીના પરિવારે આવું શા માટે કર્યું તેનો કોઈ પાસે જવાબ નહોતો. જાેકે, તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે પ્રકાશ અને તેના ભાઈઓની આર્થિક સ્થિતિ સારી નથી. ગુનાના સ્થળેથી એકત્ર કરાયેલા મોટાભાગના પુરાવા આત્મહત્યા તરફ ઈશારો કરતા હતા. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે પ્રકાશની પત્ની દુર્ગાના શરીર પર ઈજાના નિશાન હતા. જેને જાેઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પહેલા પ્રકાશે તેની પત્ની અને તમામ બાળકોનું ગળું દબાવીને હત્યા કરી અને પછી ત્રણેય બાળકોને તેની પત્નીના દુપટ્ટા અને સાડી વડે લટકાવી દીધા. જ્યારે સૌથી નાના પુત્ર અને પત્નીને જમીન પર હતા. આ પછી તેણે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસ કેસની તપાસ કરી રહી છે. પોલીસે પંચનામાની કાર્યવાહી બાદ તમામ મૃતદેહોને મોર્ચરીમાં મોકલી આપ્યા છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *