અબોહર
ગઈકાલે પંજાબમાં પ્રચાર સમયે પંજાબના સીએમ ચન્નીએ કહ્યું હતું કે પંજાબ પંજાબીઓનું છે….અહીં કોઈ જ રાજનીતિ નહીં મળે. આ તો બહારથી આવે છે….તેમણે પંજાબિયત શીખવો. આ અંગે ચન્ની માઈક લઈ કહે છે કે ેંઁના ભૈયા, બિહારના ભૈયા, દિલ્હીના ભૈયા અહીં રાજ કરી શકે. જ્યારે ચન્ની આ વાક્ય બોલી રહ્યા હતા ત્યારે બાજુમાં રહેલાં પ્રિયંકા તાલી પાડીને હસી રહ્યાં હતાં અને પોતે પણ નારા લગાવતા રહ્યા હતા. પ્રિયંકા દલિત મતદાતાને આકર્ષવા માટે ચન્ની સાથે રવિદાસ જયંતી નિમિત્તે વારાણસી પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઁસ્ ખેડૂત સન્માન નિધિ પ્રમાણે પંજાબના ખેડૂતોનાં બેન્ક ખાતામાં ૩૭૦૦ કરોડ રુપિયા આપ્યા છે. એનો લાભ પંજાબમાં ૨૩ લાખ ખેડૂતોને મળ્યો છે. સમગ્ર દેશમાં દરેક જગ્યાએ આયુષ્યમાન ભારત સ્કીમથી સારવાર થઈ રહી છે. દિલ્હી સરકાર આ યોજના સાથે જાેડાઈ નહીં, તેથી ત્યાં ૫ લાખ સુધીની કેશલેસ સારવાર સુવિધા નથી મળતી. જાે પંજાબના લોકોને દિલ્હીમાં સારવારની સુવિધા મળી જાય તો તેમના પેટમાં કેમ ખૂંચે છે. જાે પંજાબના લોકોને દિલ્હીમાં ઘૂસવા નથી દેતા, તેઓ પંજાબમાં વોટ કેમ માગી રહ્યા છે? નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સમગ્ર પંજાબમાં આ અવાજ છે કે આ વખતે મ્ત્નઁને જિતાડવાની છે, જેથી ત્યાં ડબલ એન્જિનવાળી સરકાર બને. એનાથી પંજાબમાં સૌથી ઝડપી વિકાસ થશે. એનાથી રેતી અને ડ્રગ-માફિયાની વિદાય થશે. પંજાબમાં ઔદ્યોગિક વિકાસ થશે. તેમણે પંજાબના લોકો પાસે એક તક માગી છે. ઁસ્ના નિશાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે. ઁસ્એ જલંધર રેલીમાં કોંગ્રેસને તોફાનોના દોષી ઠેરવી છે. પછી પઠાણકોટ રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસને ફરી સત્તા મળી તો પંજાબની સુરક્ષા ખતરામાં આવી જશે. તેમણે કરતારપુર સાહિબના બહાને પણ કોંગ્રેસને ઘેરી. તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસને ૩ તક મળી, પણ તેઓ માત્ર ૬ કિમી દૂર કરતારપુરને ભારતમાં ન રાખી શક્યા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના અબોહરમાં રેલીને સંબોધિત કરી હતી. આ અવસરે તેમણે પંજાબના મુખ્યમંત્રી ચરણજિત ચન્નીના નિવેદનનો જવાબ આપ્યો છે, જેમાં ચન્નીએ યુપી-બિહારના લોકોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશાં એક ક્ષેત્રના લોકોને બીજા સાથે લડાવે છે. કોંગ્રેસના ઝ્રસ્એ નિવેદન આપ્યું અને દિલ્હીના પરિવારના માલિક તાલી પાડીને હસી રહ્યા હતા (પ્રિયંકા ગાંધીને કટાક્ષ). આ સમગ્ર દેશે જાેયું છે. પોતાના આવાં નિવેદનોથી કોનું અપમાન કરવામાં આવી રહ્યું છે? મોદીએ કહ્યું, અહીં કોઈ એવું ગામ નહિ હોય, જ્યાં ઉત્તરપ્રદેશ તથા બિહારનાં ભાઈ-બહેન મહેનત ન કરતાં હોય. ગઈકાલે જ અમે સંત રવિદાસજીની જયંતી ઊજવી. સંત રવિદાસજી પણ ઉત્તરપ્રદેશના બનારસમાં જન્મ્યા હતા. કોંગ્રેસ કહે છે કે ઉત્તરપ્રદેશના ભૈયાને ઘૂસવા નહીં દઈએ. શું તમે સંત રવિદાસજીને પણ કાઢી નાખશો? શ્રી ગુરુ ગોવિંદજીનો જન્મ પણ પટના-બિહારમાં થયો હતો. કોંગ્રેસ કહે છે કે બિહારના લોકોને ઘૂસવા નહીં દઈએ. શું તે લોકો શ્રી ગુરુ ગોવિંદ સિંહજીનું અપમાન કરી રહ્યા છે?