ઉતરપ્રદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીની બે દિવસીય મુલાકાત પૂરી કરીને રાજધાની લખનૌ પરત ફર્યા હતા. તેમની ૨ દિવસીય મુલાકાત દરમિયાન, સીએમ યોગીએ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત યોગીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ સાથે પણ મુલાકાત કરી હતી.મુખ્યમંત્રી તરીકે સતત બીજી મુદત માટે શપથ લેવાની તૈયારી કરી રહેલા આદિત્યનાથે પાર્ટી નેતૃત્વ સાથે વાતચીત દરમિયાન સરકારની રચના સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. આ પછી લખનઉમાં યુપી ભાજપ કોર કમિટીની બેઠકમાં ભાગ લીધો. રાજધાની લખનૌમાં સીએમ યોગીના સત્તાવાર ૫ કેડી માર્ગ નિવાસસ્થાન પર આયોજિત બેઠકમાં ભાજપના ઉપાધ્યક્ષ રાધા મોહન સિંહ, યુપી બીજેપી પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ અને રાજ્ય મહાસચિવ (સંગઠન) સુનીલ બંસલ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે ભાજપ પાર્ટી ૩૭ વર્ષના વલણને પાછળ છોડીને બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તામાં પરત આવી છે, ત્યારબાદ આ યુપી ભાજપની પ્રથમ કોર કમિટીની બેઠક હતી. સીએમ યોગીએ આ મહિનાના અંતમાં રાજ્ય સરકારની રચના બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓના મુખ્ય નિર્દેશો અને સૂચનો આપ્યા હોવાનું માનવામાં આવે છે. જાે કે, રાજ્ય હાઈકમાન્ડે વિધાન પરિષદ ચૂંટણી માટે પક્ષની સંભાવનાઓ અને વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરી હતી, જેના માટે મંગળવારથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ રહી છે. લોકલ બોડી ક્વોટાની ૩૬ સીટો પર ચૂંટણી યોજાશે.તે જ સમયે, આ બેઠકો પર એમએલસીનો કાર્યકાળ ૭ માર્ચે પૂર્ણ થયો હતો. હાલમાં, વિધાન પરિષદમાં સમાજવાદી પાર્ટીની બહુમતી છે. જેમાં જીઁ પાસે ૪૮ સ્ન્ઝ્ર છે, જ્યારે મ્ત્નઁ પાસે ૩૬ સ્ન્ઝ્ર છે. યુપી વિધાનસભાની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સભ્યો માટે સરકારી મકાનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.જ્યાં વ્યવસ્થા અધિકારી પવન યાદવે જણાવ્યું કે, આ મકાનો ૧૮મી યુપી વિધાનસભાના સભ્યોને ફાળવવામાં આવશે. અમે ફર્નિચર સહિત દરેક વસ્તુનું નવીનીકરણ કરી રહ્યા છીએ અને જાે જરૂર પડશે તો નવું ફર્નિચર આપવામાં આવશે.


