International

ઉત્તર કોરિયામાં પહેલો કોરોના કેસ એલિયનના લીધે ફેલાયો ઃ કિમ જાેંગ ઉન

ઉત્તર-કોરીયા
પોતાના વિચિત્ર ર્નિણયોને લઇને ચર્ચામાં રહેનાર કિમ જાેંગ ઉનએ વધુ એક નવી વાત કહી છે. ઉત્તર-કોરિયાના તાનાશાહનું નવું નિવેદન ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે શુક્રવારે વધતા જતા કેસો પાછળ એવું લોજિક કર્યું કે લોકો કન્ફ્યૂઝ થઇ ગયા કે હસે કે ટીકા કરે. ઉત્તર કોરિયાઇ તાનાશાહ કિમ જાેંગ ઉને દાવો કર્યો કે દેશમાં પહેલો કોવિડ કેસ એલિયનના લીધે ફેલાયો. ઉત્તર કોરિયાએ પોતાના દાવામાં કહ્યું કે દક્ષિણ કોરિયાની સીમા પાસે એલિયન્સે ફૂગ્ગામાં વાયરસ ભરીને ફેંક્યા હતા. જેથી તેમના દેશમાં કોરોના વાયરસ ફેલાયો. રાજ્ય મીડિયા દ્ભઝ્રદ્ગછ ના હવાલેથી જણાવ્યું કે સરકારે ત્યારે પોતાના લોકોને બોર્ડર પાસેના વિસ્તારોમાં હવા અને અન્ય જળવાયુ ઘટનાઓ અને ફૂગ્ગાથી આવનાર વિદેશી વસ્તુઓથી સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો. એક ૧૮ વર્ષીય સૈનિક અને ૫ વર્ષીય કિંડરગાર્ટનર જેમણે એપ્રિલની શરૂઆતમાં કુમગાંગના પૂર્વી કાઉન્ટીમાં બેરકો અને આવાસીય ક્વાટરોની આસપાસ અજાણી સામગ્રીઓને સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંનેમાં કોરોનાના લક્ષણ જાેવા મળ્યા પછી કોરોનાના પહેલાં કેસની પુષ્ટિ થઇ. ત્યારબાદ જાેતજાેતા આખો દેશ કોવિડની ચપેતમાં આવી ગયો. કિમ જાેંગનું કહેવું છે કે ફૂગ્ગામાં વાયરસ ભરીને એલિયન્સે દક્ષિણ કોરિયાની બોર્ડર પાસે દેશમાં કોરોના વાયરસ ફેલાવ્યો છે.

file-01-page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *