International

ખશોગી હત્યા કેસમાં સાઉદી પ્રિન્સને અપાયેલી છૂટથી ફસાયું ગયું અમેરિકા!?..

વોશિંગ્ટન
ચર્ચિત પત્રકાર જમાલ ખશોગીની હત્યાના મામલામાં સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને છૂટ આપીને ખરાબ રીતે ફસાયેલા અમેરિકાએ પોતાના ર્નિણયનો બચાવ કર્યો છે. અમેરિકાએ કહ્યું કે આવું પહેલીવાર નથી કે અમે કોઈ નેતાને આ છૂટ આપી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના કેટલાય નેતાઓને પહેલા પણ અમેરિકામાં કેસ ચાલ્યા બાદ મુક્તિ આપી છે. હકીકતમાં અમેરિકાએ ગુજરાતના સીએમ તરીકેના કાર્યકાળમાં ધાર્મિક સ્વતંત્રતાને લઈને નરેન્દ્ર મોદી વિરુદ્ધ યાત્રા પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ પછી એ વડાપ્રધાન બન્યા એટલે તેમને છૂટ અપાઈ હતી. સમગ્ર ઘટના એવી છે કે અમેરિકાના વિદેશ મંત્રાલયના મુખ્ય ઉપ-પ્રવક્તા વેદાંત પટેલે સાઉદી પ્રિન્સને લઈને પૂછાયેલા પ્રશ્ન પર કહ્યું કે અમે આ પહેલા ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રહેલા રોબર્ટ મુગાબે, પીએમ નરેન્દ્ર મોદી સહિત વિશ્વના કેટલાય નેતાઓ આ પ્રકારની છૂટ આપી છે. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એ હત્યાના આરોપી સાઉદી પ્રિન્સને લઈને ખરાબ રીતે ફસાયું છે. અમેરિકાએ જમાલ ખશોગીની પ્રેમિકાના કેસમાં સુનાવણી દરમિયાન સાઉદી પ્રિન્સને મળેલી છૂટના સંદર્ભમાં આ નિવેદન આપ્યું છે. આ પહેલા બાઇડન વહીવટીતંત્રે કહ્યું હતું કે જમાલ ખશોગીને સાઉદી પ્રિન્સના ઇશારા પર તુર્કીમાં મારી દેવામાં આવ્યો હતો. હકીકતમાં, સાઉદી પ્રિન્સને પણ આ કેસમાં ફસાઈ જવાનો ડર હબતો, આ જ કારણે તેમને તાજેતરમાં સાઉદી અરબના વડાપ્રધાન પદે નિયુક્ત કરાયા હતા. તેનું પરિણામ એ આવ્યું કે સાઉદી પ્રિન્સને એક વિદેશી સરકારના વડાના રુપમાં મળનારી છૂટ હાંસલ થઈ ગઈ? અમેરિકાએ કહ્યું કે સાઉદી અરબના પીએમ હોવાના લીધે મોહમ્મદ બિન સલમાનને ડિપ્લોમેટિક છૂટ મળેલી છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *