રશિયા
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેનની સરહદ નજીક ૧૦૦,૦૦૦ થી વધુ સૈનિકો તૈનાત કર્યા હોવા છતાં યુક્રેન સાથે સંઘર્ષ હજુ પણ ટાળી શકાય છે. આ અંગે ચર્ચા કરવાનો અને યુદ્ધ ટાળવા માટે રણનીતિ ઘડવાનો હજુ સમય છે. આ સ્થિતિને યુદ્ધમાં ફેરવવાનું કોઈ કારણ નથી. પુતિન ડી-એસ્કેલેટ કરવાનું પસંદ કરી શકે છે અને તેના સૈનિકોને પાછા ખેંચવાનો આદેશ આપી શકે છે. પેન્ટાગોનના અધિકારીઓએ કહ્યું કે તેમને વિશ્વાસ નથી થતો કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધમાં જવાનો ર્નિણય કર્યો છે. તેમણે કહ્યું કે તેમના વિકલ્પોનો વિસ્તાર થયો છે. ઉશ્કેરણીથી અશાંત દક્ષિણપૂર્વ ડોનબાસ ક્ષેત્રમાં હુમલાનું કારણ બની શકે છે. જાે રશિયા યુક્રેન પર હુમલો કરવાનો વિકલ્પ પસંદ કરે છે તો તેના પરિણામે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે છે, તેમજ ઘણી વધુ અસરોના પરિણામો સામે આવશે. રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન અને માર્ક મિલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેનનો બચાવ કરવા માટે યુએસ સૈનિકો મોકલવાનો કોઈ ઇરાદો નથી પરંતુ તે યુક્રેનના સૈન્યને શસ્ત્રો અને અન્ય સામગ્રી સાથે સમર્થન આપવાનું ચાલુ રાખશે.યુક્રેનમાં સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. આ મુદ્દે અમેરિકા અને રશિયા વચ્ચે પણ તણાવ ચરમ પર છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને શુક્રવારે કહ્યું કે જાે રશિયન સેના યુક્રેન પર હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. જાે રશિયા યુક્રેનમાં સંપૂર્ણપણે ઘૂસણખોરી કરે છે, તો તેના વિનાશક પરિણામો આવશે અને માનવીય સ્તર પર મોટી કિંમત ચૂકવવી પડશે. પરંતુ યુદ્ધ ટાળવા માટે મુત્સદ્દીગીરી માટે હજુ પણ સમય હતો. જાેઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ માર્ક મિલીએ કહ્યું કે યુક્રેન પરના હુમલાના પરિણામે મોટી સંખ્યામાં જાનહાનિ થશે. તમે કલ્પના કરી શકો છો કે આ કેટલું ભયાનક હોઈ શકે છે.
