ઉત્તરકોરિયા
કિમ જાેંગ ઇલનો જન્મ ૧૬ ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ સેમજીઓન નજીક માઉન્ટ પેક્ટુ પર એક ગુપ્ત શિબિરમાં થયો હતો. જાે કે, સોવિયત રેકોર્ડ્સ દર્શાવે છે કે તેનો જન્મ ૧૯૪૧ માં ખાબોરોવસ્ક નજીક રશિયન દૂર પૂર્વમાં થયો હતો. ૨૦૧૧ ના અંતમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેમના કાર્યકાળ દરમિયાન હ્યુમન રાઈટ્સ વોચે કહ્યું કે ઉત્તર કોરિયા વિશ્વની સૌથી દમનકારી સરકારોમાંની એક છે. ૐઇઉએ કિમ જાેંગ ઈલને સરમુખત્યાર ગણાવ્યા અને તેના પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો. જાે કે આજે પણ પરિસ્થિતિમાં જરાય ફેરફાર થયો નથી. કિમ જાેંગ ઈલનો પુત્ર કિમ જાેંગ ઉન હાલમાં ઉત્તર કોરિયાનો તાનાશાહ છે. તેમના પર માનવાધિકાર ઉલ્લંઘનનો પણ આરોપ છે. જેના કારણે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રએ આ દેશ પર પ્રતિબંધો લગાવ્યા છે. દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેના કારણે લોકોને બે ટાઈમનો રોટલો પણ નથી મળી રહ્યો. પરંતુ કિમ જાેંગ સતત હથિયારોનું પરીક્ષણ કરીને વિસ્તારમાં તણાવ વધારી રહ્યો છે.ઉત્તર કોરિયાએ તેના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા કિમ જાેંગ ઇલની ૮૦મી જન્મજયંતિની ઉજવણી કરી છે. યુએસ સ્થિત એનકે ન્યૂઝના અહેવાલ મુજબ, -૧૫ ડિગ્રી તાપમાનમાં કડકડતી ઠંડી વચ્ચે આ ઉજવણી કરવામાં આવી હતી. કિમ જાેંગ ઇલનું વર્ષ ૨૦૧૧માં અવસાન થયું હતું. આ સેલિબ્રેશન ચીનની સરહદ પાસે આવેલા સેમજીઓન શહેરમાં થયું હતું. આ દરમિયાન કોન્સર્ટ, ફટાકડા અને આઉટડોર સમારંભો થયા હતા. સ્થાનિક મીડિયાએ તેની ઘણી તસવીરો પણ જાહેર કરી છે. જેમાં કિમ જાેંગ ઈલના પુત્ર અને ઉત્તર કોરિયાના વર્તમાન સરમુખત્યાર કિમ જાેંગ ઉન વિન્ટર કોટમાં જાેવા મળ્યા હતા. ઉત્તર કોરિયાના સ્થાપક કિમ જાેંગ ઇલ અને તેમના પિતા કિમ ઇલ સુંગનું અવસાન થયાના દિવસે ઉત્તર કોરિયાના લોકોએ દર વર્ષે આંસુ વહાવવાની ફરજ પડે છે. તેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કોઈ પણ ઉજવણી કરી શકતા નથી. સાથે જ આ નેતાઓની જન્મજયંતિ પર લોકોને ભૂખે મરતા હોય તો પણ ખુશ રહેવાનું કહેવામાં આવે છે. કિમ જાેંગ ઇલ અને કિમ ઇલ સુંગ બંનેની જન્મજયંતિ એ દેશની સૌથી મહત્વપૂર્ણ રજાઓમાંની એક છે. એટલે કે, આ દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે નાગરિકો પ્યોંગયાંગના મનસુ હિલ પર કિમ જાેંગ ઇલ અને કિમ ઇલ સુંગની વિશાળ પ્રતિમાઓ સમક્ષ ફૂલોના ગુલદસ્તા અને નમન કરવા આવ્યા હતા.