રવાંડા
બ્રૂટલ જેલ રવાંડાની રાજધાની કિગલીમાં બનાવવામાં આવી છે. તેનું નિર્માણ ૧૯૬૯માં થયું હતું. સૌથી પહેલાં તેને બ્રિટિશ મજૂરોના રહેવા માટે બનાવી હતી. પરંતુ પછી તેને જેલમાં બદલી દેવામાં આવી. આ જેલની ક્ષમતા ચારસો કેદીઓની છે. પરંતુ હાલ ત્યાં ૭ હજારથી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. આ તો કંઈ જ નથી. જ્યારે ૧૯૯૦માં રવાંડા જેનોસાઈડ થયું હતું ત્યારે ત્યાં લગભગ ૫૦ હજાર કેદીઓને ભરવામાં આવ્યા હતા. આ જેલમાં હંમેશાથી કેદીઓને જાનવરોની જેમ ભરવામાં આવે છે. ત્યાં કેદીઓને બેસવાની પણ જગ્યા નથી મળતી. ઘણા કેદીઓ તો ટોયલેટમાં ભરાયેલા રહે છે. જેલના કમાન્ડરનું પણ માનવું છે કે, આ જેલમાં ઘણા કેદીઓ નિર્દોષ છે. છતાં પણ તેમને આ નર્કમાં રહેવું પડે છે. પરંતુ અમુક કેદીઓ એટલા ખુંખાર છે કે, તેમને જાનવરોની જેમ ટ્રીટ કરવા જરૂરી છે. આ કેદીઓ જેલની સજા ભોગવીને પણ સુધરી નથી શકતાં. ઉલટાનું તેઓ વધારે ખુંખાર બની જાય છે. આ જેલમાં રહેનારા કેદીઓમાંથી દરરોજ ૬ કેદીઓની મોત થાય છે. આ કેદીઓને દરરોજ ખાવા માટે ઓછું ભોજન આપવામાં આવે છે. જેના કારણે તેઓ અંદરો અંદર ઝગડા કરે છે. કમજાેર કેદીઓ પાસેથી તાકાતવર કેદીઓ જમવાનું છીનવી લે છે. જ્યારે આ વાતની ફરિયાદ કરવામાં આવે તો તેમને બેહરમીથી મારવામાં આવે છે. ઘણા કેદીઓએ તો એ વાત પણ માની છે કે, આ જેલમાં કોઈ કેદીની મોત થાય તો બીજા કેદી તેની લાશને ખાઈ જાય છે. જેલના કેદીઓને નામમાત્રનું જમવાનું અપાઈ છે. જેના કારણે તેઓ જીવતા કેદીઓને બટકા ભરીને ખાય જાય છે.


