જાેધપુર
ઇદનાં સમયે જાેધપુરમાં હિંસા બાદ લગાવવામાં આવેલાં કર્ફ્યૂની સમય સીમા ૨ દિવસ વધારી દેવામાં આવી છે. આ સાથે જ ઇન્ટરનેટ પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. જાેકે હિંસા બાદ હવે માહોલ શાંત છે. બુધવારે કોઇ અપ્રિય ઘટના નથી બની. પણ પોલીસ પ્રશાસન કોઇ જાેખમ ઉઠાવવાં નથી ઇચ્છતું. તેથી કર્ફ્યૂને ૬ મે સુધી વધારી દેવામાં આવ્યો છે. હિંસાનાં આ કેસ કોઇ અફવાઓ ન ફેલાય તે માટે નેટબંદીને આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે. હિંસા બાદ શહેરનાં ખુણે ખુણે પોલીસની ચાપતી નજર છે. કર્ફ્યૂ નિયમોને સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું ચે. પરીક્ષા આપનારા સ્ટૂડન્સને સ્કૂલ આવવાં જવાની છૂટ આપવામાં આવી છે. છડ્ઢય્ કાયદો અને વ્યવસ્થા હવા સિંહ ઘુમરિયાએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે શાંતિ સમિતિની બેઠક દરમિયાન થોડો અવરોધ થયો હતો. ભાજપના રાજ્યસભાના સાંસદો અને ધારાસભ્યો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જે બાદ ફરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને સાંજે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી. આ પછી ભાજપીઓએ આમરણાંત ઉપવાસનું એલાન પાછું ખેંચ્યું છે. તેમણે કહ્યું કે ભાજપનાં અધિકારીઓએ કહ્યું કે પોલીસે કોઈ નિર્દોષ વ્યક્તિને પકડવી જાેઈએ નહીં. આ અંગે અમે ફરી એકવાર સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા છે. જાે કેટલાક લોકો સામે પૂરતા પુરાવા ન હતા, તો તેમને છોડી દેવામાં આવ્યા હતા. ઠુમરિયાએ જણાવ્યું કે કર્ફ્યુ ૨ દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. આ સિવાય અચોક્કસ મુદત માટે નેટ પ્રતિબંધના આદેશો આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એવું નથી કે તેને મધ્યમાં સુધારી શકાય નહીં. જાે શાંતિ અને વ્યવસ્થા પ્રવર્તે છે, તો પછી આ હુકમ મધ્યમાં પણ સુધારી શકાય છે. તેમણે રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ઠુમરિયાએ કહ્યું કે પોલીસે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા બદલ કલમ-૧૫૧ હેઠળ અત્યાર સુધીમાં ૧૪૦ લોકોની ધરપકડ કરી છે. હિંસા કેસમાં હવે ૧૪ કેસ નોંધાયા છે. કલમ-૧૫૧ હેઠળ ધરપકડ કરાયેલા કેટલાક લોકોને કોર્ટે જેલમાં મોકલી દીધા છે. તેમણે કહ્યું કે અમે સીસીટીવી ફૂટેજની ફરી તપાસ કરી રહ્યા છીએ. જાે ધરપકડ કરાયેલા લોકો સામે પૂરતા પુરાવા મળશે તો અલગ એફઆઈઆર નોંધવામાં આવશે.
