National

તમિલનાડુમાં દલિત સરપંચને તિરંગો ફરકાવતા અટકાવાયા

ચેન્નાઈ
તમિલનાડુના કલ્લાકુરિચીના એદુથાવૈનાથમ ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની મહિલા સરપંચ સુધા વીએ આરોપ લગાવ્યો છે કે તેમને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના અવસર પર સ્થાનિક સરકારી શાળામાં ત્રિરંગો ફરકાવતા અટકાવવામાં આવી રહ્યા છે. સુધા વીએ ૩ ઓગસ્ટના રોજ ડેપ્યુટી એસપીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેણીને સ્થાનિક સરકારી શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવતા અટકાવવામાં આવી હતી કારણ કે તે દલિત હતી. સુધા વીએ પત્રમાં કહ્યું છે કે, તેમના પહેલા દસ પંચાયત પ્રમુખોએ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર શાળામાં ધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ પેરેન્ટ ટીચર એસોસિએશન દ્વારા તેમને ધ્વજ ફરકાવતા અટકાવવામાં આવ્યા હતા. એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું હતું કે તમે દલિત જાતિની મહિલા છો, તેથી તમે ધ્વજ નહીં ફરકાવો. સુધા વીએ કહ્યું છે કે તેમને શાળાના પીટીએ પ્રમુખ અરુલકુમાર અને ઉપાધ્યક્ષ કન્નન દ્વારા છેલ્લા ગણતંત્ર દિવસ પર ધ્વજ ફરકાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સુધા વીએ કહ્યું છે કે તેમને ૭૫માં સ્વતંત્રતા દિવસ પર શાળામાં સુરક્ષા વચ્ચે ધ્વજ ફરકાવવાની તક આપવી જાેઈએ. આ કિસ્સામાં સુધા વીના પતિ વરથરાજી કહે છે કે તેમની પત્ની ગામની અગિયારમી પંચાયત પ્રમુખ છે, તેમના પહેલાના તમામ દસ પંચાયત પ્રમુખોએ ગામની જ એક સરકારી શાળામાં ધ્વજ ફરકાવ્યો છે, પરંતુ તેમની પત્નીને આમ કરવાથી અટકાવવામાં આવે છે. ગયા ગણતંત્ર દિવસની આગલી રાત્રે પીટીએ પ્રમુખ અરુલકુમાર અને ઉપપ્રમુખ કન્નને અમને જાણ કરી હતી કે તેમની પત્ની શાળામાં ધ્વજ ફરકાવશે નહીં. જાે કે જ્યારે અમે કારણ પૂછ્યું ત્યારે અમને કારણ જણાવવામાં આવ્યું ન હતું, પરંતુ અમને ખબર છે કે અમારી જાતિના કારણે અમારી સાથે આવું થયું છે. વરથરાજીએ આક્ષેપ કર્યો હતો કે એડુથવૈનાથમમાં દલિત સમુદાયના સભ્યો છે જેમને હજુ પણ મંદિરોની અંદર જવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં લોકોને ડર છે કે જાે કોઈ દલિત મહિલા પંચાયત પ્રમુખ શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે તો મંદિરમાં દલિતોના પ્રવેશની માંગ વધી જશે. સુધાના પતિએ કહ્યું છે કે સરકારી શાળાના મુખ્ય શિક્ષક મણિએ તેમને અને પીટીએ નેતાઓને શાળાની બહાર મામલો ઉકેલવા કહ્યું છે.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *