National

પાકિસ્તાનના દૂતાવાસને તેની જૂની ઇમારત વેચવા માટે વિદેશ કાર્યાલય પાસેથી મંજૂરી મળી

ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં આ વર્ષે આવેલા ભયંકર પૂર બાદ આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે તેના રાજદ્વારીઓને મિલકત વેચવાની ફરજ પડી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આવેલી કિંમતી રાજદ્વારી સંપત્તિને વેચવા માટે અખબારોમાં જાહેરાતો પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ ઈમારતની કિંમત ૫ થી ૬ મિલિયન ડોલર જણાવવામાં આવી રહી છે. એઆરવાય ન્યૂઝે સૂત્રોને ટાંકીને કહ્યું કે વોશિંગ્ટનમાં પાકિસ્તાનના દૂતાવાસને તેની જૂની ઇમારત વેચવા માટે વિદેશ કાર્યાલય પાસેથી મંજૂરી મળી ગઈ છે, જે છેલ્લા ૧૫ વર્ષથી ખાલી પડી છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ડૉન અનુસાર, આ ઈમારત હવે માર્કેટમાં આવી ગઈ છે. વેચાણ માટે નિયત પ્રક્રિયા અનુસરવામાં આવી રહી છે. દૂતાવાસના અધિકારીએ કહ્યું, “પ્રસ્તાવિત વેચાણની જાહેરાત અખબારોમાં કરવામાં આવી છે અને ઘણી બિડ પણ પ્રાપ્ત થઈ છે.” એમ્બેસીએ કહ્યું કે તેઓ મૂલ્યાંકનકર્તાની સલાહ લઈ રહ્યા છે કે તેમના માટે શું શ્રેષ્ઠ છે. રિપોર્ટ અનુસાર, પૂર્વ રાજદૂત તમામ ખાલી ઇમારતોને ખાનગી રીતે વેચવાના પક્ષમાં છે. તેમણે કહ્યું, “આટલા લાંબા સમય સુધી આ ઈમારતોની જાળવણી કરવામાં અમે ઘણા પૈસા વેડફ્યા છે, જાે અમે મોડું કરીએ તો તેને વેચવું વધુ મુશ્કેલ થઈ જશે. તમને જણાવી દઈએ કે આ ઈમારત વોશિંગ્ટનના પ્રતિષ્ઠિત આર.કે. સ્ટ્રીટ પર સ્થિત છે. ૧૯૫૦ થી ૨૦૦૦ ના દાયકા સુધી, તે દૂતાવાસનું સંરક્ષણ બ્લોક હતું.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *