National

૩૧ માર્ચે ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા

ઇસ્લામાબાદ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ભાવિનો ર્નિણય આગામી સપ્તાહમાં થવા જઈ રહ્યો છે. હકીકતમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી સોમવારે એક મહત્વપૂર્ણ સત્ર માટે શરૂ થઈ, જ્યાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. આ પછી ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ ગૃહને ૩૧ માર્ચ સુધી સ્થગિત કરી દીધું. ૩૧ માર્ચે સાંજે ૪ વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. સાથે જ ઈમરાન વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ૧થી ૪ એપ્રિલની વચ્ચે મતદાન થઈ શકે છે. બે દિવસના અંતર પછી અતિ ઉત્સાહી નેશનલ એસેમ્બલી સત્ર શરૂ થયું. નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ તેની અધ્યક્ષતા કરી હતી. સત્ર શરૂ થયા પછી વિપક્ષના નેતા શાહબાઝ શરીફે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ડેપ્યુટી સ્પીકર પાસે મંજૂરી માંગી. તેમણે કહ્યું ‘હું વિનંતી કરીશ કે તમે (સૂરી) આ આઈટમને ગૃહમાં રજૂ કરવાની મંજૂરી આપો, કારણ કે આ પ્રસ્તાવ પહેલેથી જ એજન્ડામાં હતો.’ આ પછી દરખાસ્ત સ્વીકારવામાં આવે છે કે કેમ તે જાણવા માટે મતદાન યોજવામાં આવ્યું હતું. નિયમો અનુસાર ગૃહમાં હાજર કુલ સાંસદોના ઓછામાં ઓછા ૨૦ ટકાનું સમર્થન જરૂરી છે. ૧૬૧ સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં હા પાડી. આ પછી શરીફ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી, જેણે બંધારણીય પ્રક્રિયાના પ્રથમ તબક્કાની મર્યાદા નક્કી કરી હતી. બંધારણીય નિયમો અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા પછી તેના પર ૩-૭ દિવસમાં મતદાન કરવાનું હોય છે. ડેપ્યુટી સ્પીકર સૂરીએ ૩૧ માર્ચે સાંજે ૪ વાગ્યા સુધી નેશનલ એસેમ્બલી સ્થગિત કરી દીધી હતી. આ દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ જીતવા માટે ૩૪૨ સભ્યોના ગૃહમાં ૧૭૨ સાંસદોના સમર્થનની જરૂર પડશે. પરંતુ ઈમરાનનો રસ્તો કઠિન લાગે છે. ઈમરાનના ૨૩ સભ્યો તેને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ જણાતા નથી અને સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના લગભગ બે ડઝન ધારાસભ્યોએ તેને ટેકો આપવાનો ઈન્કાર કર્યો છે. આવી સ્થિતિમાં ઈમરાનની ખુરશી ખતરામાં છે. ઉલ્લેખનીય છે કે ૮ માર્ચે વિપક્ષી દળોએ ઈમરાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીના સચિવાલય સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક સંકટ માટે ઈમરાન ખાનની સરકાર જવાબદાર છે. ત્યારથી દેશના રાજકારણમાં અનિશ્ચિતતાના વાદળો મંડરાઈ રહ્યા છે. વિપક્ષે ગૃહના અધ્યક્ષને ૧૪ દિવસમાં સત્ર બોલાવવા વિનંતી કરી હતી.

PM-Pakistan-Imran-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *