National

પોલીસે કહેવું એ છે કે કર્ણાટકના મહંતે અમુક આ કારણોસર કરી હતી આત્મહત્યા

બેંગ્લુરુ
લિંગાયત મહંત બસવલિંગેશ્વરા સ્વામીના આત્મહત્યા કેસમાં પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસનું કહેવું છે કે ૨૧ વર્ષની યુવતીએ એક પ્રાઈવેટ વીડિયો શૂટ કર્યો હતો અને તે તેના દ્વારા મહંતને બ્લેકમેલ કરવા માંગતી હતી. આ વિદ્યાર્થીનું નામ નિલાંબિક ઉર્ફે ચંદુ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મામલામાં કન્નુર મઠના મહંત મૃત્યુંજય સ્વામી અને વકીલ મહાદેવૈયાની વિદ્યાર્થીની નિલાંબીક સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર દોડ્ડાબલલ્લાપુરાની એન્જિનિયરિંગની બીજા વર્ષની વિદ્યાર્થીનીને મહંત સાથે કોઈ બાબતે ઝઘડો અને ગેરસમજ થઈ હતી. આ કારણે તેણે વીડિયો બનાવ્યો અને તેની સીડી ઘણા લોકોને મોકલી હતી. કેટલાક લોકો મહંતને આ કારણોસર હેરાન કરતા હતા. પોલીસે કહ્યું કે મહંતની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે કેટલાક લોકો મહંતને હેરાન કરી રહ્યા હતા અને બ્લેકમેલ કરી રહ્યા હતા. પીટીઆઈના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. તે જ સમયે, એનડીટીવીના એક સમાચારમાં, પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે બસવલિંગ સ્વામીને વિદ્યાર્થીની નિલાંબિક સાથે મિત્રતા થઈ ગઈ હતી. આ જ વિદ્યાર્થીનીએ મહંતને ‘હનીટ્રેપ’ કરવાના પ્રયાસમાં એક ખાનગી વીડિયો શૂટ કર્યો હતો. આ સિવાય કેટલાક કોલ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. પોલીસે ત્રણ વીડિયો કબજે કર્યા છે, જેનો કથિત રીતે બ્લેકમેલિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. બસવલિંગા સ્વામીએ ૨૪ ઓક્ટોબરે મઠની અંદરના તેમના રૂમમાં આત્મહત્યા કરી હતી. આ મઠ ૪૦૦ વર્ષથી પણ વધુ જૂનો છે. પોલીસે કહ્યું હાલ પૂછપરછ અને તપાસ ચાલુ. પીટીઆઈના અહેવાલમાં રામનગરના પોલીસ અધિક્ષક કે સંતોષ બાબુને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ૨૧ વર્ષીય નિલામ્બિકે આ વીડિયો બનાવ્યો હતો. આ ઉપરાંત કન્નુર મઠના મૃત્યુંજય સ્વામી અને એક વકીલ મહાદેવૈયા પણ સામેલ હતા. પોલીસ અધિકારીએ તપાસને ટાંકીને વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે મૃતક મહંત, વિદ્યાર્થીની નિલાંબિક ઉર્ફે ચંદુ, મૃત્યુંજય સ્વામી અને વકીલ મહાદેવૈયા વચ્ચે ગેરસમજ અને ઝઘડો થયો હતો. હાલ તપાસ ચાલી રહી છે અને વધુ માહિતી પછી આપવામાં આવશે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *