National

શ્રીલંકામાં આર્થિક કટોકટી વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને

શ્રીલંકા
શ્રીલંકામાં ભારે બેરોજગારી અને ભોજનની તંગીના કારણે શ્રીલંકન શરણાર્થીઓ ભાગીને ભારત તરફ આવી રહ્યા છે. શ્રીલંકાનો ઉત્તરી ભાગ તમિલ બહુમતીવાળું ક્ષેત્ર છે. તમિલનાડુ ઈન્ટેલિજન્સના કહેવા પ્રમાણે આ ફક્ત શરૂઆત છે અને હજુ અનેક લોકો ત્યાંથી આવે તેવી શક્યતા છે. ઈન્ટેલિજન્સના મતે આશરે ૨,૦૦૦ શ્રીલંકન શરણાર્થીઓ ટૂંક સમયમાં જ ભારતનો રસ્તો પકડશે. શ્રીલંકામાં દૂધની ભારે અછત છે. દૂધની અછતને કારણે ભાવમાં અસાધારણ વધારો થયો છે અને લોકોએ એક કિલો માટે લગભગ બે હજાર રૂપિયા (૧,૯૭૫ શ્રીલંકન રૂપિયા) ચૂકવવા પડે છે. ૪૦૦ ગ્રામ દૂધ ખરીદવા માટે લોકો ૭૯૦ રૂપિયા ચૂકવી રહ્યા છે.લોકોનું કહેવું છે કે શ્રીલંકામાં સોનું મળવું સરળ છે પરંતુ દૂધ માટે કલાકો સુધી ભટકવું પડે છે. જેમને દૂધની જરૂર હોય તેમણે વહેલી સવારે દુકાનો પર લાઇનમાં ઉભુ રહેવું પડે છે. શ્રીલંકામાં સરકારની નીતિઓને કારણે ચોખા અને ખાંડની પણ ભારે અછત સર્જાઈ છે. થોડા સમય પહેલા દેશની ગોટાબાયા રાજપક્ષે સરકારે રાસાયણિક ખાતરો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો અને ૧૦૦% સજીવ ખેતી પર આગ્રહ કર્યો હતો. સરકારના આ ર્નિણયને કારણે દેશમાં કૃષિ ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે. ચોખા અને ખાંડની અછતને કારણે તેના ભાવ આસમાને છે. શ્રીલંકાની આ હાલત માટે ઘણા કારણો જવાબદાર છે. વિદેશી મુદ્રા ભંડારનો અભાવ આ સ્થિતિ માટે સૌથી મોટું પરિબળ છે.વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો આ સ્થિતિ માટે સૌથી મોટું પરિબળ માનવામાં આવે છે. જ્યાં ત્રણ વર્ષ પહેલા શ્રીલંકાની વિદેશી મુદ્રા ભંડાર ઇં૭.૫ બિલિયન હતું, તે ગયા વર્ષે નવેમ્બરમાં ઘટીને ઇં૧.૫૮ બિલિયન થઈ ગયું. શ્રીલંકા પર ચીન, જાપાન, ભારત અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું જંગી દેવું છે પરંતુ વિદેશી હૂંડિયામણ અનામતના અભાવે તેઓ તેમના દેવાના હપ્તા પણ ચૂકવી શકતા નથી. શ્રીલંકા તેના મોટા ભાગના અનાજ, પેટ્રોલિયમ ઉત્પાદનો, દવાઓ વગેરે માટે વિદેશી આયાત પર ર્નિભર છે. પરંતુ વિદેશી મુદ્રા ભંડારના અભાવેઅછતને કારણે તે આયાત પણ કરી શકતો નથી. જેના કારણે દેશની હાલત ખરાબ થઈ રહી છે. દેશમાં વીજળીની કટોકટી પણ ઘેરી બની છે અને લોકોને રોજના ૭-૮ અંધારામાં રહેવું પડે છે.શ્રીલંકામાં ગહન આર્થિક કટોકટી વચ્ચે, દૂધ અને ચોખા સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને લોકોને ઇંધણ ભરવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી છે. દેશના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. દેશમાં બગડતી પરિસ્થિતિએ લોકોને ભારત આવવા મજબૂર કર્યા છે. મંગળવારે લગભગ ૧૬ શ્રીલંકાના નાગરિકો બે બેચમાં તમિલનાડુમાં પ્રવેશ્યા હતા.ભારતમાં પ્રવેશતા મોટાભાગના શરણાર્થીઓ બેરોજગાર છે અને તેમનો દેશ છોડવાની ફરજ પાડવામાં આવે છે કારણ કે રેકોર્ડ ફુગાવાને કારણે આવશ્યક ચીજવસ્તુઓ પહોંચની બહાર અને કાળાબજારીના ભાવો પોષાય તેમ નથી.

Sri-Lanka-Food-Crisis.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *