National

સર્વોપરી શું છે દેશ કે ધર્મ ? ઃ મદ્રાસ હાઈકોર્ટ

 

ચમોલી
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે તેની યાદ અપાવતા, બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જ્યારે કોઈ ચોક્કસ ડ્રેસ કોડ અસ્તિત્વમાં નથી ત્યારે ડ્રેસ કોડ પર ડિસ્પ્લે બોર્ડ મૂકવાનો પ્રશ્ન કેવી રીતે ઉભો થશે. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ હોવાનો ઉલ્લેખ કરતા જસ્ટિસ ભંડારીએ કહ્યું કે વર્તમાન વિવાદથી કંઈ મળવાનું નથી, પરંતુ ધર્મના નામે દેશને વિભાજીત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે, મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે દેશમાં કેટલીક શક્તિઓ દ્વારા ધાર્મિક નફરતનું વાતાવરણ બનાવવા પર ચિંતા વ્યક્ત કરી હતી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ‘રાષ્ટ્ર કે ધર્મ’ સર્વોપરી શું છે. કાર્યકારી ચીફ જસ્ટિસ એમ.એન. ભંડારી અને જસ્ટિસ ડી. ભરત ચક્રવર્તીની બેન્ચે કર્ણાટકમાં હિજાબ વિવાદ પર ચાલી રહેલી ચર્ચા પર એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, કેટલાક દળોએ ‘ડ્રેસ કોડ’ પર વિવાદ ઊભો કર્યો છે અને તે સમગ્ર ભારતમાં ફેલાઈ રહ્યો છે. બેન્ચે કહ્યું કે તે ખરેખર આશ્ચર્યજનક છે કે કેટલાક લોકો હિજાબના પક્ષમાં છે, કેટલાક લોકો ધોતી કે ટોપીના પક્ષમાં છે અને કેટલાક અન્ય વસ્તુઓના પક્ષમાં છે. બિન-હિન્દુઓને મંદિરોમાં પ્રવેશતા અટકાવવા માટે હિન્દુ મંદિરોમાં માત્ર ‘સનાતન ધર્મ’ માનનારાઓને જ મંજૂરી આપવાના આદેશની માગ કરતી અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું કે સર્વોચ્ચ શું છે? દેશ કે ધર્મ? એમ પણ કહ્યું કે આ ચોંકાવનારું છે કે કોઈ હિજાબની પાછળ જઈ રહ્યું છે અને કોઈ ધોતીની પાછળ જઈ રહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ મુનીશ્વર નાથ ભંડારી અને ન્યાયાધીશ ડી. ભરત ચક્રવર્તીની બેન્ચે આ ટિપ્પણી શ્રીરંગમના રંગરાજન નરસિમ્હન વતી હિંદુ મંદિરોમાં પ્રતિબંધિત પ્રવેશની માગ કરનાર અરજી પર કરી હતી. અરજદારે ભક્તો માટે કડક ડ્રેસ કોડ લાગુ કરવા, રાજ્યભરના મંદિરોમાં બિન-હિંદુઓને પ્રવેશ પર પ્રતિબંધ અને મંદિર પરિસરમાં વ્યાપારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધની માગ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મંદિરના પ્રવેશદ્વાર પર ડ્રેસ કોડ અને બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ માટે ડિસ્પ્લે બોર્ડ હોવું જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *