National

સીરિયા શહેર પર રોકેટ હુમલામાં છ લોકો માર્યા ગયા

સીરિયા
આફ્રીન અને આસપાસના ગામો તુર્કી અને તેના સમર્થક લડવૈયાઓના નિશાના પર છે. તુર્કી કુર્દિશ લડવૈયાઓને આતંકવાદીઓ માને છે જેઓ તેની સરહદે સીરિયન પ્રદેશને નિયંત્રિત કરે છે, જેઓ તુર્કીની અંદર કુર્દિશ બળવાખોરો સાથે સાથી છે. તુર્કીએ સીરિયામાં ત્રણ લશ્કરી હુમલા કર્યા છે, મોટેભાગે સીરિયન કુર્દિશ મિલિશિયાને તેની સરહદોથી દૂર કરવા માટે કરવામાં આવ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આફ્રીનના રહેણાંક વિસ્તારમાં રોકેટ હુમલામાં આગ લાગી હતી, જે તેના સ્વયંસેવકોએ બુઝાવી દીધી હતી. ો આગ ઓલવતા જાેવા મળે છે. ‘વ્હાઈટ હેલ્મેટ’ એ સીરિયન નાગરિક સંરક્ષણ સંસ્થા છે જે વિપક્ષના કબજા હેઠળના વિસ્તારોમાં કાર્યરત છે. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્‌સે હુમલામાં છ લોકો માર્યા ગયાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે ૩૦ અન્ય ઘાયલ થયા છે. અમેરિકાની આગેવાની હેઠળનું ગઠબંધન ૨૦૧૪થી ઈરાક અને સીરિયાના ત્રીજા ભાગ પર કબજાે જમાવતા ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામેની લડાઈમાં સીરિયન કુર્દિશ લડવૈયાઓને મદદ કરી રહ્યું છે. સીરિયામાં છેલ્લા ઘણા સમયથી હિંસા ચાલી રહી છે. તાજેતરમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રને પણ કહ્યું હતું કે સીરિયામાં ૈંજીૈંન્ના સક્રિય રહેવા અને લડાઈ ક્ષમતાઓને ફરીથી મજબૂત કરવાના પ્રયાસો વચ્ચે રાસાયણિક હથિયારોના ઉપયોગના આરોપો પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. ભારતે આતંકવાદી સંગઠનો અને વ્યક્તિઓ પાસે રાસાયણિક શસ્ત્રો હોવાની સંભાવના સામે ચેતવણી આપી હતી.તુર્કી સમર્થિત વિપક્ષી લડવૈયાઓ દ્વારા નિયંત્રિત સીરિયા શહેર પર રોકેટ હુમલામાં છ લોકો માર્યા ગયા હતા અને ૩૦ અન્ય ઘાયલ થયા હતા. સીરિયાની રેસ્ક્યુ ટીમ અને વોર મોનિટરિંગ ગ્રુપે આ જાણકારી આપી. બંનેએ હુમલા માટે યુએસ સમર્થિત સીરિયન કુર્દિશ દળોને જવાબદાર ઠેરવ્યા છે. આફ્રિન શહેર ૨૦૧૮થી તુર્કી અને તેના સાથી સીરિયન વિરોધી લડવૈયાઓના નિયંત્રણ હેઠળ છે. ૨૦૧૮માં તુર્કી સમર્થિત લશ્કરી કાર્યવાહીમાં સીરિયન કુર્દિશ લડવૈયાઓ અને હજારો કુર્દિશ રહેવાસીઓને આ પ્રદેશમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યા હતા.

Syria-Attack-Six-death.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *