Arunachal Pradesh

G20સમિટ માટે પાકિસ્તાન અને ચીને ય્૨૦ બેઠકની તારીખ અને સ્થળ બાબતે વાંધો ઉઠાવ્યો

અરુણાચલપ્રદેશ
ય્૨૦ સમિટ માટે થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં એક બેઠક યોજાઈ હતી. આ માટે ચીન સહિતના તમામ દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાે કે ચીને આ બેઠકથી પોતાને દૂર રાખ્યું હતું. પાકિસ્તાન અને ચીને ય્૨૦ બેઠકની તારીખ અને સ્થળ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક ૨૨-૨૪ મેના રોજ શ્રીનગરમાં યોજાવાની હતી. જાે કે ભારતે ચીન અને પાકિસ્તાનના પાયાવિહોણા વાંધાને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે બેઠક શ્રીનગરમાં જ યોજાશે. ચીન આ મુદ્દે પોતાની મનમાની કરવા માગે છે. પાકિસ્તાનની હાલત તો એટલી ખરાબ છે કે ત્યાં લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. તેમ છતા તે ભારત વિરુદ્ધ કાવતરું ઘડવામાં સૌથી આગળ છે. પાકિસ્તાને શ્રીનગરમાં યોજાનારી બેઠકને રોકવા માટે સાઉદી અરેબિયા, તુર્કી અને ચીનને અપીલ કરી હતી. શ્રીનગરમાં બેઠકનો વિરોધ કરવા પાકિસ્તાન આ તમામ દેશો સામે કરગર્યું પણ ખરૂં. જાે કે ભારતે પાકિસ્તાનના મનસૂબા સફળ ન થવા દીધા. આ દરમિયાન ચીને અરુણાચલના ૧૧ સ્થળોના નામ બદલી નાખ્યા. જેનો ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભારતે શુક્રવારે જ પોતાનું ય્૨૦ કેલેન્ડર અપડેટ કર્યું છે. જેમાં પર્યટનને લગતી બેઠકનો દિવસ ૨૨-૨૪ મે નક્કી કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે અરુણાચલની જેમ ચીન પણ શ્રીનગરની બેઠકનો બહિષ્કાર કરી શકે છે. જાે કે, સત્તાવાર સૂત્રોનું માનીએ તો શ્રીનગરમાં આયોજિત બેઠક અંગે કોઈ સંદેહ નહતો. ગયા વર્ષથી જ તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન ચીનના સંરક્ષણ અને વિદેશ મંત્રી જીર્ઝ્રંની બેઠક માટે ભારતની મુલાકાત લઈ શકે છે. જુલાઈમાં જીર્ઝ્રં સમિટની તારીખ નક્કી કરવા માટે ભારત ચીન, રશિયા અને અન્ય દેશોના સંપર્કમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *