Bihar

નીતિશે ઈફ્તાર પાર્ટી યોજી, પરંતુ આગજનીના પીડિતોને મળવા આવ્યા નહીં ઃ ચિરાગ પાસવાન

પટણા
બિહારની રાજધાની પટનાના શાસ્ત્રીનગરમાં ભીષણ આગની ઘટના બની હતી જેમાં સેંકડો ઘર બળીને ખાખ થઈ ગયા હતા. અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન પીડિતોને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચિરાગે કહ્યું કે સરકારના વડા ઈફ્તાર પાર્ટીઓનું આયોજન કરે છે, પરંતુ આ ગરીબ લોકોને મળવા આવતા નથી. ચિરાગ પાસવાને તમામ પીડિતોની પીડા સાંભળી. જીડ્ઢસ્ સાથે ફોન પર પણ વાત કરી. એસડીએમ સાથે વાત કરતાં ચિરાગે વહેલી તકે મદદ પૂરી પાડવાની વાત કરી હતી. મીડિયા સાથેની આ જ વાતચીત દરમિયાન ચિરાગ પાસવાને મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહારો કર્યા હતા. ચિરાગે કહ્યું કે ઈફ્તારમાં જે પૈસા ખર્ચવામાં આવે છે તે આ ગરીબોને આપવામાં આવે તો તેમને કેટલી મદદ મળશે. બીજી તરફ પીડિતોની મદદ અંગે ચિરાગે કહ્યું છે કે અમારી પાર્ટી તેમને શક્ય હોય ત્યાં સુધી મદદ કરશે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *