Chandigarh

સિદ્ધુ એવા ગુના માટે જેલમાં છે જે તેમણે કર્યો નથી ઃ નવજાેત કૌર સિદ્ધુ

ચંડીગઢ
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુની પત્ની નવજાેત કૌર સિદ્ધુએ જણાવ્યું કે તેમને સ્ટેજ ટુ કેન્સર છે. ટિ્‌વટર પર આ માહિતી આપતા તેમણે નવજાેત સિંહ સિદ્ધુ માટે એક સંદેશ પણ લખ્યો, જે હાલમાં જેલમાં છે. નવજાેત કૌર સિદ્ધુએ કહ્યું, “તે (નવજાેત સિંહ સિદ્ધુ) એવા ગુના માટે જેલમાં છે જે તેમણે કર્યો નથી. આમાં સામેલ દરેકને માફ કરશો. બહાર રહેવું અને દરરોજ તમારી રાહ જાેવી ખૂબ જ પીડાદાયક છે. કંઈક થયું છે, હું જાણું છું કે તે ખરાબ છે. તમારી રાહ જાેઇ, તમને વારંવાર ન્યાય ન મળતો જાેયો. પરંતુ, સત્ય ખૂબ જ મજબૂત છે અને કળયુગ તમારી આકરી કસોટી કરે છે. માફ કરશો તમારા માટે વધારે રાહ જાેઈ શકતી નથી કારણ કે આ સ્ટેજ ટુ આક્રમક કેન્સર છે. આજે ઓપરેશન થશે. તેમાં કોઈની ભૂલ નથી કારણ કે તે ભગવાન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમૃતસરના પૂર્વ ધારાસભ્ય નવજાેત સિંહ સિદ્ધુ ૧૯૯૮ના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. તે પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમને ગયા વર્ષે ૨૦ મેના રોજ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે પટિયાલા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *