Delhi

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ તપાસ માટે NIAની ટીમ દુબઈ પહોંચી

નવીદિલ્હી
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને વિદેશમાં ડી કંપની સામે કાર્યવાહી કરવાના ઇરાદા સાથે પાંચ સભ્યોની તપાસ ટીમ દુબઇ મોકલી છે. આ ટીમે દુબઈના સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને તેમને ડી કંપની વિશે જણાવવાનું છે. દુબઈમાં રહીને આ ટીમ આવા આતંકવાદીઓ અને ગેંગસ્ટરો સામે કાર્યવાહી કરવાની અપીલ કરશે. એ ગુનેગારો કે જેઓ દુબઈમાં બેસીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં વ્યસ્ત છે. દ્ગૈંછ મુખ્યાલયે દુબઈ ગયેલા અધિકારીઓના નામ જાહેર કર્યા નથી. આ ટીમ ડી.કંપની સામે નોંધાયેલા કેસની તપાસ કરશે. આ સાથે તેનું કામ ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાનું છે. આ કેસમાં દ્ગૈંછએ અનેક આરોપીઓના નિવેદન નોંધ્યા છે. આ સાથે અનેક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં કેન્દ્રીય તપાસ એજન્સી દ્ગૈંછએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિત અન્ય કેટલાક આરોપીઓ વિરુદ્ધ ેંછઁછ એક્ટ (ગેરકાયદેસર ગતિવિધિઓ નિવારણ અધિનિયમ) હેઠળ કેસ નોંધ્યો હતો. દ્ગૈંછના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈ વિસ્ફોટોનો મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં છુપાયેલો છે. ભારત વિરોધી ગતિવિધિઓ કરતી વખતે, દાઉદ ઈબ્રાહિમ અને તેની અંડરવર્લ્ડ કંપની આતંકવાદ અને ડ્રગ્સના વેપારમાં વ્યસ્ત છે. મામલાની ગંભીરતાને જાેતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્દેશ જાહેર કરીને દ્ગૈંછને મામલાની તપાસ સોંપી છે. મુંબઈ હુમલા સંબંધિત કેસની તપાસ પણ કેન્દ્રીય તપાસ એજન્સી (ઝ્રમ્ૈં) પાસે નોંધાયેલી છે. આ કેસમાં અત્યાર સુધીમાં મુંબઈ સહિત અનેક સ્થળોએથી અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલી મિલકતો જપ્ત કરવામાં આવી છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *