Delhi

જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા પર પ્રતિબંધ!

નવીદિલ્હી
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જાેડો યાત્રા જમ્મુ-કાશ્મીરના બનિહાલ પહોંચી છે. અહીં પહોંચ્યા પછી, આ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ યાત્રા પર પ્રતિબંધ પાછળના કારણોનો પણ ખુલાસો કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે યાત્રાને એટલા માટે રોકી દેવામાં આવી કારણ કે યોગ્ય સુરક્ષા આપવામાં આવી ન હતી અને સુરક્ષા વિના યાત્રા કરવી જાેખમી છે. આ મામલે રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સુરક્ષાને લઈને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે ભારત જાેડો યાત્રામાં સુરક્ષામાં ગંભીર ચૂક થઈ છે. તેમણે કહ્યું, “કાશ્મીરના બનિહાલમાં ભારત જાેડો યાત્રા દરમિયાન સુરક્ષામાં ગંભીર ચૂક થઈ છે. ડી-એરિયામાંથી અચાનક સુરક્ષા જવાનોને હટાવી લેવામાં આવ્યા હતા. આ આદેશ કોણે આપ્યો? તેમણે એમ પણ કહ્યું કે જવાબદાર અધિકારીઓએ આ ચૂક માટે જવાબ આપવો જાેઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા યોગ્ય પગલાં લેવા જાેઈએ. આ બાબતે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કાઝીગુંડમાં સુરક્ષામાં ગંભીર ભૂલ પર રાહુલ ગાંધી આજે બપોરે ૨ઃ૩૦ વાગ્યે અનંતનાગમાં પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, જેના કારણે તેમને અંતિમ ક્ષણે તેમની યોજના બદલવાની ફરજ પડી હતી. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કોંગ્રેસના પ્રભારી રજની પાટીલે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસન રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જાેડો યાત્રાને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું છે. સુરક્ષા ક્ષતિ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનનું અયોગ્ય અને તૈયારી વિનાનું વલણ દર્શાવે છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *