Delhi

ભારત માટે ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે “Indian Wireless Telegraphy (C.B.S.F.D.A) Rules, 2023” નામના નિયમો જારી કર્યા

નવીદિલ્હી
હાલમાં ભારત સરકારે ર્નિણય લીધો છે કે, ભારત માટે ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે “ૈંહઙ્ઘૈટ્ઠહ ઉૈિીઙ્મીજજ ્‌ીઙ્મીખ્તટ્ઠિॅરઅ (ઝ્રીઙ્મઙ્મ મ્િર્ટ્ઠઙ્ઘષ્ઠટ્ઠજંૈહખ્ત જીીદિૃૈષ્ઠી ર્કિ ડ્ઢૈજટ્ઠજંીિ છઙ્મીિંજ) ઇેઙ્મીજ, ૨૦૨૩” નામના નિયમો જારી કર્યા. આજકાલ સમાજ માટે કટોકટીનો સામનો કરવો સામાન્ય બની ગયો છે. આવી પરિસ્થિતિઓમાં, મોટાભાગના લોકોને તાત્કાલિક માહિતીની જરૂર હોય છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ “ૈંહઙ્ઘૈટ્ઠહ ઉૈિીઙ્મીજજ ્‌ીઙ્મીખ્તટ્ઠિॅરઅ (ઝ્ર.મ્.જી.હ્લ.ડ્ઢ.છ) ઇેઙ્મીજ, ૨૦૨૩”નામનાં નિયમનો ર્નિણય લીધો. આ નિયમો હેઠળ, સરકારે ફોન યૂઝર્સને દેશમાં થનાર કટોકટી સંબંધિત એલર્ટ આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. નિયમો અનુસાર હવે દરેક ફોનમાં ડિઝાસ્ટર એલર્ટ માટે સપોર્ટ હશે. મતલબ કે જ્યારે પણ કટોકટી હોય ત્યારે સ્માર્ટફોન કે ફીચર ફોન એક જ મેસેજથી સમગ્ર સમુદાયને એલર્ટ કરી શકે છે. આ નિયમ આજથી લાગુ થઈ ગયો છે. અમે તમને જણાવીએ કે શું કહે છે આ નિયમ?… નિયમ શું કહે છે? કે દરેક ફોન પર હિન્દી અને અંગ્રેજીમાં બ્રોડકાસ્ટ મેસેજ રિસીવિંગ ફરજિયાત, સ્માર્ટફોન હોય કે ફીચર ફોન, તેના પર મેસેજ દેખાવા જાેઈએ, આવા મેસેજ માટે લાઇટ, સાઉન્ડ અને વાઇબ્રેશન ૩૦ સેકન્ડ માટે ફરજિયાત છે, એલર્ટ મેસેજ ફોનમાં ઓછામાં ઓછા ૨૪ કલાક સુધી રહેવો જાેઈએ, આ મેસેજ ત્યાં સુધી સ્ક્રીન પર રહેશે જ્યાં સુધી ગ્રાહક તેને જાેયા પછી સ્વીકારે નહીં, ફોનના ફીચર લિસ્ટમાં બ્રોડકાસ્ટ માટે રહેશે અલગ કેટેગરી અને એલર્ટ મેસેજ ઓડિયો મેસેજ તરીકે પણ સંભળાશે…

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *