નવીદિલ્હી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠક બાદ અગત્યના મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૧૦૦ બેડની નવીન ઈજીૈંઝ્ર હોસ્પિટલની મંજૂરી મળી છે. તેમણે વધુમાં ઉમેર્યુ છે કે, આ હોસ્પિટલ મધ્ય ગુજરાતના રહેવાસીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. સાવલી જી.આઇ.ડી.સી.ક્ષેત્ર અને તેની આસપાસમાં જ ૧૫૦૦ થી વધુ ઔધોગિક એકમો આવેલા છે. ઇ.એસ.આઇ. યોજના હેઠળી આવરી લેવાયેલ કર્મચારીઓની સંખ્યા અંદાજીત ૩૫ થી ૪૦ હજાર છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ૧૦૦ પથારીની આ આધુનિક હોસ્પિટલથી સાવલી તાલુકાની ઔધોગિક વસાહતોમાં વસતા શ્રમિકો ઉપરાંત કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓને તબીબી સેવાઓનો લાભ મળશે. તેઓને સ્થાનિક સ્તરે સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં તબીબી સેવા ઉપલબ્ધ બનતા તેમના પરિવારજનોને સમય અને મુસાફરીના ખર્ચમાં રાહત મળશે. વધુ વિગતોમાં મંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના ઔધોગિક ક્ષેત્રની કામગીરી સાથે જાેડાયેલા મહત્વના જિલ્લાઓ પૈકીના વડોદરા જિલ્લામાં અને તેમાં પણ સાવલી તાલુકામાં એન્જિનિયરિંગ વર્ક્સ / મેટલ અને કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ / ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ / સેનિટરી વેર / ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ /આયાત-નિકાસને લગતા કામકાજ વગેરે ચલાવતા ઘણા ઉદ્યોગો, કારખાનાઓ અને ઓફિસો આવી છે. જે મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે. મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડોદરા જિલ્લામાં સોશ્યલ સિક્યુરિટી કોડ, ૨૦૨૦ના અમલીકરણ પછી કર્મચારીઓની વધતી સંખ્યાને ધ્યાને લઇ અને તેમની આરોગ્યસુખાકારીની દરકાર રાજ્ય સરકારે કરી છે. હાલમાં આ વિસ્તારના ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વધુ સારવાર માટે ગોત્રી, વડોદરા ખાતે આવેલી કર્મચારી રાજ્ય વિમા યોજનાની જનરલ હોસ્પિટલમાં જવું પડે છે. હાલોલ ખાતે હોસ્પિટલથી ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વડોદરા આવવા-જવા મુસાફરીમાં ખર્ચવામાં આવતા નાણાં અને સમયના વ્યયમાંથી રાહત મળશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.
