Delhi

રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખની આર્થિક સહાય

નવીદિલ્હી
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક ૨૮૦ને વટાવી ગયો છે. જ્યારે ૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. શુક્રવારે સાંજે, કોરોમંડલ એક્સપ્રેસ પહેલા પાટા પરથી ઉતરી ગઈ અને પછી માલસામાન ટ્રેનના એન્જિન પર ચઢી ગઈ. આ પછી હાવડા-બેંગલુરુ એક્સપ્રેસ તેની બોગી સાથે અથડાઈ હતી. પીએમઓએ જાહેરાત કરી છે કે ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેલ અકસ્માતના કેસોમાં વળતર અંગે સુધારા કરવામાં આવ્યા છે. રેલવે એક્સિડન્ટ્‌સ એન્ડ એક્સિડન્ટ્‌સ (કમ્પેન્સેશન) એમેન્ડમેન્ટ રૂલ્સ કહે છે કે આનાથી સંબંધિત ઘણા કેસમાં વળતરની પ્રારંભિક રકમ ૪ લાખ રૂપિયાથી વધારીને ૮ લાખ રૂપિયા કરવામાં આવી છે.

File-01-Page-10-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *