Delhi

વિરાટ અને ગંભીરના ઝઘડાનું મૂળ કારણ આ લોકો હતા… નવો વિડીયો આવ્યો સામે

નવીદિલ્હી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપરજાયન્ટ્‌સ વચ્ચેની મેચ જીત-હાર કરતાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેની લડાઈ વધુ બની છે. લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મેચ બાદ મેદાન પર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, અફઘાનિસ્તાનનો ફાસ્ટ બોલર નવીન ઉલ હક આ બધી મુસીબતનું અસલી મૂળ લાગે છે. પરંતુ મેચ દરમિયાન વિરાટ કોહલી પોતે આક્રમક ફોર્મમાં જાેવા મળ્યો હતો. જ્યારે લખનૌ અને બેંગ્લોર વચ્ચેની છેલ્લી મેચમાં ગૌતમ ગંભીર આક્રમક જાેવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે, વિરાટ તેને પાછલી મેચમાં ગૌતમ પાસેથી જે મળ્યું હતું તે પરત કરી રહ્યો હતો. પણ એ બધા વચ્ચે ઝઘડો કેવી રીતે શરૂ થયો? શું નવીન-ઉલ-હકે આની શરૂઆત કરી હતી? જાેકે, આ મામલે હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ દરમિયાન એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં જાેઈ શકાય છે કે, નવીન-ઉલ-હકને ઉશ્કેરનાર પહેલો વ્યક્તિ મોહમ્મદ સિરાજ છે. આ પછી, નવીન અને સિરાજ વચ્ચે દલીલ શરૂ થાય છે, જેમાં વિરાટ કોહલી કૂદી પડે છે. વાસ્તવિક ઘટના, જેણે કોહલી અને ગંભીર બંનેને ગુસ્સે કરી દીધા હતા, તેની શરૂઆત ૧૭મી ઓવરના છેલ્લા બોલથી થઈ હતી. મોહમ્મદ સિરાજે ત્રીજી ઓવરના પાંચ બોલમાં ૮ રન આપ્યા હતા. આ પછી સિરાજે ડોટ બોલ ડોટ ફેંક્યો. એક ફુલર ડિલિવરી નવીનના પેડ્‌સ પર અથડાઈ અને પછી નવીન તરફ જાેઈ રહેલા સિરાજે આગળ જઈને બેટ્‌સમેનના છેડે બોલને સ્ટમ્પ પર ફેંક્યો, જ્યારે નવીન-ઉલ-હક સંપૂર્ણપણે ક્રિઝની અંદર હતો. આવી સ્થિતિમાં નવીન-ઉલ-હક અને મોહમ્મદ સિરાજ વચ્ચે થોડી ચર્ચા થઈ હતી, જેમાં વિરાટ કોહલી પણ કૂદી પડ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્‌સના દિગ્ગજ ખેલાડી અમિત મિશ્રાએ વિરાટ કોહલીને શાંત પાડ્યો, પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને અમિત મિશ્રાને પણ કંઈક કહ્યું. જ્યારે નવીને પણ કોહલીને જવાબ આપ્યો તો અમ્પાયરોએ દરમિયાનગીરી કરવી પડી. આ પછી કોહલી ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો અને તેણે અમ્પાયરોની સામે પણ પોતાની વાત રાખી હતી. એવું લાગતું હતું કે, મામલો અહીં જ થાળે પડ્યો છે, પણ એવું નહોતું. મામલો હજી આગળ વધવાનો હતો.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *