Delhi

સુદાનથી પરત આવેલા ૧૧૭ ભારતીયોને કેમ અચાનક કરાયા ક્વોરેન્ટાઈન, આ બીમારીનો ડર!..

નવીદિલ્હી
ઓપરેશન કાવેરી હેઠળ, સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી બચાવવામાં આવેલા એક હજારથી વધુ ભારતીયોમાંથી ૧૧૭ને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ૧૧૭ ભારતીયો જેમણે યલો ફીવરની રસી લીધી ન હતી તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય ઓપરેશન કાવેરી હેઠળ વિદેશ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે, આવનારા મુસાફરો માટે મિશન મોડમાં ટ્રાન્ઝિટ જંક્શન પર જરૂરી ક્વોરેન્ટાઇન સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે. વધુ માહિતી આપતા, મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ ૧,૧૯૧ મુસાફરો આવ્યા છે, જેમાંથી ૧૧૭ મુસાફરો હાલમાં ક્વોરેન્ટાઇન છે, કારણ કે, તેમને પીળા તાવ સામે રસી આપવામાં આવી ન હતી. જાે તમામ મુસાફરોમાં કોઈ લક્ષણો ન દેખાય તો તેમને સાત દિવસ પછી મુક્ત કરવામાં આવશે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર સુદાનમાંથી લગભગ ૩,૦૦૦ ભારતીયોને બહાર કાઢી રહી છે. આ મુસાફરોને એરપોર્ટ હેલ્થ ઓફિસર્સ (છઁૐર્ંજ) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સંચાલિત ક્વોરેન્ટાઇન કેન્દ્રોમાં મફત ભોજનની સુવિધા સાથે ભાડા પર આવાસ આપવામાં આવે છે. મંત્રાલયે માહિતી આપી હતી કે, મુસાફરોની પ્રથમ બેચ ૩૬૦ મુસાફરો સાથે દિલ્હી પહોંચી હતી, જેમાંથી કોઈને ક્વોરેન્ટાઇનની જરૂર નથી. આ પછી, બીજી ફ્લાઇટ ૨૬ એપ્રિલે ૨૪૦ મુસાફરો સાથે મુંબઈ પહોંચી હતી, જેમાંથી ૧૪ને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ત્રીજી ફ્લાઇટ શુક્રવારે ૩૬૦ મુસાફરો સાથે બેંગલુરુ પહોંચી હતી, જેમાંથી ૪૭ને શરૂઆતમાં અલગ રાખવામાં આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે, તેમાંથી ત્રણને શનિવારે રસીકરણની ચકાસણી બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *