Delhi

સ્પિનર અશ્વિનને બહાર રાખવાના ર્નિણયની સર્વત્ર આકરી ટીકા

નવીદિલ્હી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ક્રિકેટની ફાઇનલ ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ભારતે તેના પ્રમુખ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાંથી બાકાત રાખવાનો ર્નિણય લીધોઘો હતો. રોહિત શર્માએ બુધવારે મેચના પ્રથમ દિવસે ટોસ જીતીને હરીફ ટીમને બેટિંગમાં ઉતારી ત્યારથી આ ર્નિણય સામે આશ્ચર્ય સર્જાયું છે. ભારતે પ્રથમ બોલિંગ કરી અને તેમાં અશ્વિન જેવો બોલર ન હતો. પ્રથમ દિવસે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે ૩૨૭ રનનો વિશાળ સ્કોર રજૂ કરી દીધો હતો જેમાં ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી તો સ્ટિવ સ્મિથે ૯૫ રન ફટકાર્યા હતા. બીજે દિવસે ટ્રેવિસ હેડ તો આઉટ થઈ ગયો હતો પરંતુ સ્મિથે પણ સદી ફટકારી દીધી હતી. ભારતે બીજા દિવસે સવારે બે વિકેટ ઝડપી હતી અને અત્યાર સુધીની તમામ વિકેટ ઝડપી બોલરને ફાળે ગઈ છે. અશ્વિન હાલમાં આઇસીસીનો મોખરાના ક્રમાંક ઘરાવતો બોલર છે અને ૨૦૨૧-૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલનો સૌથી વધારે વિકેટ લેનારો બોલર છે તેમ છતાં તેને ભારતીય ટીમમાંથી બરાર રખાતા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર મેથ્યુ હેડને આશ્ચર્ય વ્યક્ત કરીને જણાવ્યું હતું કે મન લાગે છે કે અશ્વિન આ મેચમાં મહત્વનો બની શકે તેમ હતો. વર્લ્ડ ટેસ્ટ સાઇકલનો મોખરાનો બોલર ટીમમાં નથી. આમ થતાં આ મેચમાં ભારતને નુકસાન થઈ શકે છે. અશ્વિનને સ્થાને ભારતે રવીન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપ્યું હતું જે એકેય વિકેટ લઈ શક્યો ન હતો. મેચના પ્રથમ દિવસે ભારતીય બોલર્સ સ્મિથ અને હેડ વચ્ચેની ૨૫૧ રનની ભાગીદારી તોડી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિજેતા સુકાની રિકી પોન્ટિંગે તો અશ્વિનની બાદબાકીને મોટી ભૂલ ગણાવી હતી. તેણે જણાવ્યું હતું કે અત્યાર સુધી તો એમ લાગે છે આગળ જતાં તેનું પરિણામ શું આવે છે તે જાેવાનું રહેશે. જે રીતે મેચ આગળ ધપી રહી છે તે જાેતાં મને કોઈ શંકા નથી કે મેચમાં વળાંક આવશે. કાંગારું ટીમ પાસે તેની બેટિંગ લાઇનમાં ઘણા ડાબોડી બેટ્‌સમેન છે અને મારા મતે અશ્વિન તેમની સામે સારી બોલિંગ કરી શકે તેમ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *