Delhi

હેટ સ્પિચ પર સુપ્રીમ કોર્ટે કહ્યું, “શું હેટ ક્રાઈમને માન્યતા આપવામાં આવશે?”

નવીદિલ્હી
સોમવારે સુપ્રીમ કોર્ટે હેટ સ્પિચ અને હેટ ક્રાઈમને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે હેટ ક્રાઈમ માટે કોઈ સ્થાન નથી. ઉત્તર પ્રદેશના નોઈડામાં આપવામાં આવેલા હેટ સ્પિચના કેસની સુનાવણી દરમિયાન જીઝ્રએ આ નિવેદન આપ્યું હતું. જસ્ટિસ કેએમ જાેસેફની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી. જણાવી દઈએ કે, આ મામલો ૬૨ વર્ષીય કાઝિમ અહેમદ શેરવાની સાથે સંબંધિત છે, જે જુલાઈ ૨૦૨૧માં હેટ ક્રાઈમનો શિકાર બન્યા હતા. આ ઘટના બાદ તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેના પર અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો ઇન્કાર કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે હેટ સ્પિચના વધી રહેલા મામલા પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, ‘સમસ્યાને ઓળખો ત્યારે જ ઉકેલ મળી શકે છે’ આ સિવાય કોર્ટે સવાલ કર્યો હતો કે, શું હેટ ક્રાઈમને માન્યતા આપવામાં આવશે કે પછી તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે? સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, લઘુમતી અથવા બહુમતીનો દરજ્જાે ધ્યાનમાં લીધા વિના, લોકોને પહેલાથી જ ચોક્કસ અધિકારીઓ મળ્યા છે. તમે એક પરિવારમાં જન્મ્યા છો અને ઉછર્યા છો, પરંતુ આપણે સાથે મળીને એક રાષ્ટ્રનું નિર્માણ કરીએ છીએ. તમારે તેને ગંભીરતાથી લેવું પડશે. બીજી તરફ પોલીસ પર નિષ્ક્રિયતાના આરોપો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘આવા અધિકારીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવીને છટકી શકતા નથી. આપણે દાખલો બેસાડવો જાેઈએ, તો જ આપણે વિકસિત દેશોની સમકક્ષ રહી શકીશું.’ જણાવી દઈએ કે, ૬૨ વર્ષીય વ્યક્તિએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, ૪ જુલાઈના રોજ તે નોઈડાના સેક્ટર ૩૭માં અલીગઢ જતી બસની રાહ જાેઈ રહ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ તેને લિફ્ટ ઓફર કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, તેની મુસ્લિમ ઓળખને કારણે આ જૂથના લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને અત્યાચાર કર્યો હતો.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *