Delhi

ભારતના ૪૦૦૦ શહીદ સૈનિકોનું ઈજિપ્તમાં મેમોરિયલ

નવીદિલ્હી
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩ દિવસ અમેરિકાના પ્રવાસ બાદ હવે બે દિવસની ઇજિપ્તની મુલાકાતે છે. તેઓ શનિવારે અમેરિકાથી બારોબાર ઈજિપ્ત પહોચ્યાં હતા. અહીં પહોંચતા જ ઈજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મદબૌલીએ એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. અહીં પીએમ મોદીના ઈજિપ્ત પ્રવાસ પર ઘણા કાર્યક્રમો થવાના છે. આમાં સૌથી વધુ ચર્ચા હેલીઓપોલિસ મેમોરિયલની છે. પીએમ મોદી આજે આ સ્મારકની મુલાકાત લેવા જઈ રહ્યા છે, જ્યાં તેઓ પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. ૧૯૧૪- ૧૮માં થયેલ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં લગભગ ૪૦૦૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ સ્મારક એ ભારતીય સૈનિકોના બલિદાનની યાદ અપાવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ ૧૭૦૦ કોમનવેલ્થ સૈનિકો શહીદ થયા હતા. તેમનું સ્મારક પણ ત્યાં છે. આ સ્મારક આજે ભારતીય સૈનિકોના બલિદાનની યાદ અપાવે છે. ત્યારે પીએમ મોદી આજે આ સ્મારકની મુલાકાત લેવા જઈ રહ્યા છે અને પ્રથમ તેમજ બીજા વિશ્વ યુદ્ધમાં શહિદ થયેલા તમામ સૈનિકોને શ્રદ્ધાજંલી આપશે. હેલીઓપોલિસ મેમોરિયલનો ભારતીય સૈનિકો સાથે મહત્વનો સંબંધ છે. હેલીઓપોલિસ મેમોરિયલ એ હેલીઓપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ્સ કબ્રસ્તાનનો એક ભાગ છે. આ સ્મારક ૩૭૨૭ ભારતીય સૈનિકોના બલિદાનની યાદમાં બનાવવામાં આવ્યું છે, જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં યુદ્ધમાં શહીદ થયા હતા. આ પહેલા ઈઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે ૧૯૬૭ના યુદ્ધ દરમિયાન ઈજિપ્તની સેનાએ આ સ્મારકને નષ્ટ કરી દીધું હતું. જાે કે અગાઉ તેમાં ભારતીય સેનાના શહીદ જવાનોના નામ નહોતા પણ પાછળથી નવા સ્મારકમાં ભારતીય સૈનિકોના નામ ઉમેરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ સ્મારકની મુલાકાત લીધી હતી અને ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ પશ્ચિમ એશિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *