નવીદિલ્હી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરે આરોપ લગાવ્યો કે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ ‘સાંપ્રદાયિક’ હતા. એટલું જ નહીં, અય્યરે તેમને દેશના ‘ભાજપના પ્રથમ વડાપ્રધાન’ પણ ગણાવ્યા. રાજીવ ગાંધીના અવસાન બાદ રાજકારણમાં આવવા બદલ તેમણે સોનિયા ગાંધીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રાજીવના ગયા પછી ઘણા લોકોએ વિચાર્યું કે ચાલો હવે આ માણસ (મણિશંકર ઐયર)ને ખતમ કરીએ, પરંતુ હું તેમના (સોનિયા ગાંધી)ના કારણે જ પાર્ટીમાં ટકી શક્યો. ભૂતપૂર્વ રાજદ્વારી મણિશંકરની આત્મકથા “મેમોઇર્સ ઓફ એ મેવેરિક- ધ ફર્સ્ટ ફિફ્ટી યર્સ (૧૯૪૧-૧૯૯૧)” સોમવારે લોન્ચ કરવામાં આવી હતી. તેમના પુસ્તકના ઔપચારિક વિમોચન સમયે, અય્યરે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે ડિસેમ્બર ૧૯૭૮થી જાન્યુઆરી ૧૯૮૨ સુધીના કરાચીમાં કોન્સ્યુલ જનરલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથેના તેમના સબંધનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના વડા અને રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી પણ હાજર હતા. જ્યારે અય્યરને બાબરી મસ્જિદ મુદ્દાને હેન્ડલ કરવામાં રાજીવ ગાંધીની ટીકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હું સમાન છું, મને લાગે છે કે શિલાન્યાસ ખોટો હતો. મને લાગે છે કે રાજીવ ગાંધીએ કરેલી આ સૌથી મોટી ભૂલ હતી. અય્યરે કહ્યું કે તેમને પછીથી ખબર પડી કે પીવી નરસિમ્હા રાવ કેટલા સાંપ્રદાયિક હતા. અય્યરે રાવ સાથે સાથે તે વાતનો ઉલ્લેખ કર્યો જ્યારે રામ રહીમ યાત્રા કાઢવામાં આવી રહી હતી. કોંગ્રેસના નેતા અય્યરે કહ્યું કે નરસિમ્હા રાવે મને કહ્યું હતું કે તેમને મારી મુલાકાત સામે કોઈ વાંધો નથી, પરંતુ તેઓ મારી બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યા સાથે અસંમત હતા. મેં કહ્યું મારી બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યામાં શું ખોટું છે, તો તેણે કહ્યું મણિ તમે નથી સમજતા કે આ હિંદુ દેશ છે. મેં મારી ખુરશી પર બેસીને કહ્યું કે બીજેપી આ જ કહે છે. તેમણે કહ્યું કે ભાજપના પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી નહીં પરંતુ ભાજપના પ્રથમ વડાપ્રધાન નરસિમ્હા રાવ હતા. રાજદ્વારીમાંથી રાજકારણી બનેલા મણિશંકર ઐયરે કહ્યું હતું કે જ્યારે અચાનક જાહેરાત કરવામાં આવી કે રાજીવ ગાંધી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે તેમને આશ્ચર્ય થયું કે જે વ્યક્તિ ઈન્ડિયન એરલાઈન્સનો પાઈલટ હશે તે દેશ કેવી રીતે ચલાવશે. તેમણે કહ્યું કે જ્યારે મેં જાેયું કે તે આ દેશને કેવી રીતે ચલાવે છે, ત્યારે જ હું તેની પ્રશંસા કરવા લાગ્યો. અય્યરે કહ્યું કે મારી સમસ્યા એ હતી કે હું રાજીવ ગાંધીનો વિશ્વાસુ નહોતો. મને લાગે છે કે તેમણે વિચાર્યું કે હું રાજકીય રીતે ભોળો છું, તેમણે ક્યારેય કોઈ રાજકીય મુદ્દા પર મારી સલાહ લીધી નથી. અય્યરે કહ્યું કે રાજીવ ગાંધી સૌથી પ્રામાણિક, સ્પસ્ટવાદી અને સિદ્ધાંતવાદી હતા. તેમની (રાજીવ ગાંધી) પાસે વી.પી. સિંઘ જેવી ધૂર્તતા કે ચાલાકી નહોતી. ૧૯૮૯ સુધી વિદેશ સેવામાં રહેલા અય્યરે પાકિસ્તાન વિશે પણ વિગતવાર વાત કરી હતી.

