Delhi

ભારતને ચીન સાથે જાેડતો પુલ તણાઈ ગયો.. ITBP જવાનોને ઉભી થઈ મુશ્કેલીઓ

નવીદિલ્હી
ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે. ભૂસ્ખલનને કારણે અનેક જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રુદ્રપ્રયાગમાં પહાડના કાટમાળ નીચે દટાઈ જવાથી સાત લોકોના મોત થયા છે. તે દરમિયાન ઉત્તરકાશીમાં ભારત-ચીન સરહદ પર નેલોંગ ખીણમાં ચોરગઢ નદી પરનો લોખંડનો પુલ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હતો. આ પુલનો ઉપયોગ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ૈં્‌મ્ઁ), વનરક્ષકો અને સ્થાનિક મોલઢોર વાળા લોકો સહિત સ્થાનિક લોકો કરે છે. ફૂટબ્રિજ ધોવાઈ જવાને કારણે ૈં્‌મ્ઁ જવાનોને રેકી અને અન્ય જવાનો સુધી લોજિસ્ટિક પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હિમાચલ પ્રદેશને જાેડતા વિવિધ માર્ગો સહિત આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સેના અને ૈં્‌મ્ઁ જવાનોનો સંપર્ક તૂટી ગયો છે. અધિકારીઓએ કહ્યું છે કે બ્રિજનું ટૂંક સમયમાં સમારકામ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ગંગોત્રી નેશનલ પાર્કના અધિકારીઓએ સમગ્ર મામલાને લઈને જિલ્લા પ્રશાસનને રિપોર્ટ મોકલી દીધો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફૂટબ્રિજનો ઉપયોગ જવાનો અને નજીકના માલઢોર વાળા લોકો કરે છે. આ પુલ હિમાચલ પ્રદેશ સહિત આંતરરાષ્ટ્રીય સરહદને જાેડવાનું પણ કામ કરે છે. વરસાદના કારણે પુલનો એક પિલર તૂટીને વરસાદના પાણીમાં વહી ગયો હતો. તાજેતરના દિવસોમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. તે જ સમયે, પહાડી વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દહેરાદૂન, હરિદ્વાર સહિત વિવિધ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે. અધિકારીઓએ નદીઓમાં સ્નાન કરતી વખતે ઊંડા પાણીમાં ન જવાની અપીલ કરી છે. આ સાથે પ્રવાસીઓને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *